Aapnu Gujarat
ગુજરાત

મનરેગા યોજના હેઠળ શાળા અને આંગણવાડીમાં રંગરોગાન કામગીરી જારી

અછત રાહતની કામગીરી અંતર્ગત રાજયમાં મનરેગા યોજના અંતર્ગત જળસંચય સહિત અલગ અલગ પ્રકારની કામગીરી ચાલી રહી છે ત્યારે એક વિશિષ્ઠ અભિગમ અંતર્ગત અને રોજગારી સાથે કલાકારોની કલાને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે ગ્રામવિકાસ વિભાગ ધ્વારા મનરેગા યોજના હેઠળ સરકારી મકાનો પ્રાથમિક શાળા, આંગણવાડી અને પંચાયતના મકાનોમાં કલરકામની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત રાજયના ૯ તાલુકામાં કુલ ૫૭૮ મકાનોમાં કલરકામની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું મહેસુલમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. આ કામગીરી અંતર્ગત બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા તાલુકાઓમાં ૨૩૭ પ્રાથમિક શાળાઓમાં કલરકામની કામગીરી ચાલુ છે. ૬૩માં પૂર્ણ થઈ છે.

Related posts

ઈંગ્લેન્ડ ક્રિકેટ સિરીઝ પહેલાં અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ

editor

શાંત થયેલ મેઘસવારી હજુ આગામી ચાર-પાંચ દિવસ શાંત જ રહેશે

aapnugujarat

Gujarat govt’s 16 check-posts to be shut down from 25 Nov

aapnugujarat

Leave a Comment

UA-96247877-1