Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યા કેસ : વહેલી સુનાવણી કરવાની માંગ સુપ્રીમે ફગાવી

રામજન્મભૂમિ બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે હિન્દુ મહાસભાની વહેલી સુનાવણી કરવા માટેની માંગને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આની સાથે જ હિન્દુ સમુદાયના લોકોમાં નારાજગી વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે વહેલી તકે સુનાવણી કરવાની માંગને ફગાવતા કહ્યુ હતુ કે આ મામલે સુપ્રીમ કોર્ટે પહેલાથી જ વલણ સ્પષ્ટ કર્યુ છે. કારણ કે પહેલાથી જ જાન્યુઆરીમાં સુનાવણી કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય હિન્દુ હાસભા તરફથી વકીલ વરૂણ સિંહા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બનેલી બેંચે કહ્યું હતું કે, તેના દ્વારા પહેલાથી જ કહેવામાં આવી ચુક્યું છે કે જાન્યુઆરી મહિનામાં મામલામાં સુનાવણી હાથ ધરાશે. જાન્યુઆરીમાં મામલાની સુનાવણી કરવાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવી ચુક્યો છે.અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે પેન્ડિંગ અરજીઓને પાંચ જજની બેંચ સમક્ષ મોકલી દેવાની મુસ્લિમ પાર્ટીઓની અપીલને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. બહુમતિ સાથે ચુકાદો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે પાંચ સભ્યોની બેંચના મસ્જિદમાં નમાઝ ઇસ્લામ માટે ફરજિયાત નહીં ગણાવવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવીને આને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. મસ્જિદમાં નમાઝને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસને પાંચ જજની બેંચને સોંપવાનો સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વેળા કેટલાક તારણો પણ રજૂ કર્યા હતા. તત્કાલિન ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભુષણે ૨-૧ની બહુમતિથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વેળા કેટલીક રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને મોટી બેંચને મોકલી દેવાની માંગ ફગાવી દેવામાં આવી હતી. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો. અયોધ્યા કેસમાં સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમની બેંચે મસ્જિદમાં નમાઝ અંગે ૧૯૯૪ના ચુકાદાને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે મસ્જિદ ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે કે કેમ તે સંદર્ભમાં ૧૯૯૪ના ચુકાદા ઉપર ફરીથી વિચારણા કરવા મોટી બેંચને આ મામલાને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. પાંચમી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે જ્યારે અયોધ્યા મામલાની સુનાવણી શરૂ થઇ ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલો માત્ર જમીન વિવાદનો છે પરંતુ મુસ્લિમ પક્ષકાર તરફથી રજૂ થયેલા રાજીવ ધવને દલીલ કરી હતી કે, નમાઝ અદા કરવાનો અધિકાર છે અને તેને યોગ્યરીતે રાખવો જોઇએ. નમાઝ અદા કરવાની બાબત ધાર્મિક પ્રથા તરીકે છે અને આ અધિકારથી વંચિત રાખી શકાય નહીં. તે ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે. આજના ઇન્કાર સાથે મંદિર મુદ્દે ચર્ચા હવે વધારે ગંભીર બની રહી છે.

Related posts

સહારનપુરમાં ઈન્ટરનેટ-મેસેજ સર્વિસ બંધ કરાઈ

aapnugujarat

મોદી દ્વારા સત્તાનો બેફામ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે : શરદ પવાર

aapnugujarat

रेपो रेट में कोई बदलाव नहीं, FY22 में 10.5% GDP ग्रोथ का अनुमान : RBI

editor

Leave a Comment

UA-96247877-1