Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જયાપ્રદાએ પણ જો મી-ટુ કહ્યું તો આઝમ ખાનને જેલ જવું પડશે : અમરસિંહ

પોતાનાં બિનધાસ્ત નિવેદનો માટે જાણીતા રાજ્યસભાના સભ્ય અમરસિંહે પોતાના જૂના વિરોધી આઝમખાન પર નિશાન તાક્યું છે. અમરસિંહે જણાવ્યું છે કે જો જયાપ્રદા પણ ઈંસ્ીર્‌ર્ કહેશે તો આઝમખાન સાહેબને પણ જેલમાં જવું પડશે. અમરસિંહે જણાવ્યું હતું કે મોદી અને યોગી હિંદુઓ માટે જરૂરી છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ ખાતે હિંદુ યુવા વાહિની ભારતના કાર્યક્રમમાં અમરસિંહે જણાવ્યું હતું કે #MeToo અભિયાન ચાલી રહ્યું છે. જો જયા પ્રદા પોલીસ સ્ટેશન જશે તો આઝમખાન પોતાના જેલરોડ સ્થિત આવાસથી સીધા જેલ જશે.
હિંદુ વાહિનીના રાષ્ટ્રીય સંરક્ષક અમરસિંહે જણાવ્યું છે કે ફિરોઝાબાદ જવું તેમના માટે એટલે જરૂરી હતું કે પ્રો.રામગોપાલ યાદવે તેમને ફિરોઝાબાદ આવીને સુરક્ષિત પાછા જવાની ચેલેન્જ ફેંકી હતી. હિંદુત્વને લોકતંત્રમાં ગર્જના કરવાનો માહોલ મળ્યો છે એટલા માટે વિભાજિત થશો નહીં, અન્યથા આઝમખાન જેવા લોકોના હાથે તમે કપાઇ જશો. હિંદુત્વ માટે મોદી અને યોગી બંને જરૂરી છે.
સપા-બસપાના ગઠબંધન અંગે અમરસિંહે જણાવ્યું હતું કે સરગમ માટે સૂર જરૂરી છે, પરંતુ અહીં તો સપાના સૂર જ બગડેલા છે. ૩૦ મિનિટ ભાષણ આપ્યા બાદ કાનપુર જવા રવાના થયા હતા.

Related posts

झारखंड में पहले चरण की 13 सीटों पर मतदान खत्म

aapnugujarat

રાહુલની તાજપોશીનો માર્ગ મોકળો : ૧૧મીએ ઘોષણાની વકી

aapnugujarat

કલંકિત નેતાઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધનો સુપ્રીમનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1