Aapnu Gujarat
બ્લોગ

રાસ ગરબા : નારી જીવનના આનંદ-ઉલ્લાસ અને વિષાદને વ્યક્ત કરવાનું ઉચિત માધ્યમ

ભગવાન કૃષ્ણ યોગેશ્વર હતા. સૌપ્રથમ રાસની રચના તેમણે કરી હતી. એમની મોરલીના સ્વર પૂનમની ચાંદની રાતે રેલાતાં વ્રજની ગોપીઓ ભાન ભૂલી રાસ રમવા નીકળી પડતી હતી. દરેક પ્રજાને જેમ પોતાની ખાસિયતો હોય છે તેમ તેને પોતાનું આગવું લોકસંગીત અને નૃત્ય પણ હોય છે. વ્રજ અને મથુરા પછી ભગવાન કૃષ્ણે સૌરાષ્ટના દ્વારકામાં આવી નિવાસ કર્યો ત્યારથી રાસ સૌરાષ્ટ્રનું લોકનૃત્ય બની ચૂક્યો છે.ભગવાન કૃષ્ણના દરેક કાર્ય પાછળ કંઈકને કંઈક રહસ્ય હંમેશાં રહેતું. એ પોતાની નાની નાની સાવ સામાન્ય લાગતી લીલાઓમાં આધ્યાત્મિક પ્રતિભાવોને વ્યક્ત કરતા. આપણા યોગીઓ એ કાળમાં પણ બ્રહ્માંડ રહસ્યને પામ્યા હતા. એમને ખબર હતી કે સૂર્યની આસપાસ પૃથ્વી અને બીજા ગ્રહો ગોળ ગોળ એક તાલમાં ઘૂમી રહ્યાં છે.એ જ રીતે સૂર્ય પણ એક મહાકેન્દ્રની આસપાસ પોતાની મંડળી લઈને ઘૂમી રહ્યો છે. હાલના વૈજ્ઞાનિઓએ પણ અણુપરમાણુની શોધ કરી હતી ત્યારે તેમને એ જોઈ આશ્ચર્ય થયેલું કે અણુઓ અને પરમાણુઓ એકબીજાની આસપાસ નિશ્ચિત ગતિએ ઘૂમી રહ્યા છે. સુષ્ટિના ઉદ્ભવ માટે પ્રકૃત્તિ અને પુરુષના પ્રયત્નોથી પણ એ સમયના યોગીઓ અજાણ હતા.
આ અટપટું વિજ્ઞાન સામાન્ય માનવીઓની સમજમાં ઉતરે એ માટે ભગવાન કૃષ્ણે રાસની રચના કરી હતી. રાસમાં સૂર અને તાલના સથવારે સ્ત્રી પુરુષો ગોળ-ગોળ ઘૂમે છે. આ બ્રહ્માંડ અને આપણી સૂર્યમાળાનું પ્રતીક છે-શિવનું પ્રતીક લિંગ અને શક્તિનું પ્રતીક ત્રિશુળ એ સ્ત્રી અને પુરૃષના જાતીય અંગોના પ્રતીક છે. રાસમાં આ બન્નેનું મિલન પ્રકૃતિ અને પુરુષના સહયોગમાં દર્શન કરાવે છે.શ્રીમદ્‌ ભાગવતમાં રાસનું વર્ણન કરતાં વ્યાસે લખ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ મોરલી વગાડતાં રાધાની સાથે મધ્યમાં ઊભા રહ્યા હતા. એ સાથે જ ગોપીઓની સાથે કૃષ્ણ ગોળાકારમાં ફરીને પણ રાસ લેતાં હતાં. તેમના વિવધ સ્વરૃપ સાથે બધી ગોપીઓ સાથે રાસ રમતા હતા. આ દ્રશ્ય એટલું ભવ્ય અને દિવ્ય હતું કે આકાશમાં દેવતાઓ પણ એને જોવા પૃથ્વી પર ઉતરી આવ્યા હતા.ભગવાન શ્રીકૃષ્ણે કેટલી સરળતાથી આ વિજ્ઞાન સામાન્ય પ્રજાની સમજ સાથે વળી લીધું હતું. રાસનીઆ પરંપરા સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતની ગરબા પરંપરા ભળી ગઈ. મા આધાશક્તિ જગદંબા, અંબાદેવી ભક્તોની અધિ છે. એને પ્રસન્ન કરવા ભક્તો છંડો અને ગરબા ગાઈને માતાજીને રીઝવે છે. ગરબામાં સ્ત્રી અને પુરૃષ સાથે અથવા અલગ અલગ તાળી પાડીને ગોળ-ગોળ એક તાલમાં ઘૂમે છે. નવરાત્રીના નવે દિવસો દરમિયાન માતાનો પ્રતીક ગરબાની આસપાસ આ ગરબીનું આયોજન કરવામાં આવે છે.ગરબો પણ આ બ્રહ્માંડનું પ્રતીક છે. આપણા યોગીઓએ બ્રહ્માંડની કલ્પના એવી કરી હતી કે પ્રકાશના એક અલૌકિક તેજપૂંજની આસપાસ તણખા જેવા અનંત સૂર્યો ગોળ-ગોળ ઘૂમી રહ્યા છે. આજના મહાકાય દૂરબીનો અને અવકાશયાનોએ આ માન્યતાને-પુષ્ટિ આપી છે. સૂર્યમાળાઓ અને નિહારિકાઓથી આ બ્રહ્માંડ બન્યું છે. આજના વૈજ્ઞાનિઓએ તૈયાર કરેલો બ્રહ્માંડનો નકશો જોશો તો તમને એમાં આપણા સ્વસ્તિકની પ્રતિકૃતિ દેખાશે.બ્રહ્માંડની પ્રતીકરૃપ ગરબાની મધ્યમાં દીવો મૂકવામાં આવે છે. ગરબાનાં નાનાં-નાનાં છિદ્રોમાંથી પ્રકાશ બહાર આવે છે. અલૌકિક તેજપુંજ અને તેની આસપાસ ઘુમતાં સૂર્ય વિશ્વોનું આ પ્રતીક છે.ગરબો શબ્દ પણ ગર્ભ પરથી આવ્યો છે. ગર્ભ એટલે આ બ્રહ્માંડનું ગર્ભબ્રહ્માંડના ગર્ભ સુધી હજી વિજ્ઞાાનીઓની નજર પહોંચી નથી. પણ આપણા યોગીઓ તો આપણી નિહારિકાની પર થઈને બ્રહ્માંડના ગર્ભને પ્રતીકરૃપે એમણે ગરબામાં રજૂ કર્યો છે.એક માન્યતા પ્રમાણે આ બ્રહ્માંડની મધ્યમાં દિવય જ્યોતિની આસપાસ આપણું આ આખુંય વિશ્વ તેની અનેક નિહારિકાઓ સાથે ઘૂમી રહ્યું છે. જ્યોતિર્મય કેન્દ્રોની આસપાસ ઘૂમતા રહેવાના વિશ્વના આ લક્ષણનું પ્રતિબિંબ જગતના દરેક પદાર્થમાં ઘડે છે. ગરબાના છિદ્રમાંથી પ્રકાશનું પ્રતિબિંબ આ જગતની લીલા સૂચવે છે.ગરબામાં મુખ્યત્વે મા શક્તિની આરાધનાનાં ગીતો હોય છે. જ્યોતિર્મય અગ્નિએ શક્તિનું સ્વરૃપ છે. અંબા, અંબર-આકાશમાંથી ઉદ્ભવેલો શબ્દ છે. અગ્નિ, જળ, વાયુ વગેરે શક્તિઓ આકાશમાં ઉદ્ભવે છે. નવ પ્રકારની શક્તિઓને અલગ-અળગ નવદુર્ગા સ્વરૃપે આ નવરાત્રી દરમિયાન પૂજવામાં આવે છે. શક્તિઓની આરાધના પછી દશેરાનો દિવસ વિજયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.ભક્તિમાં રાધાકૃષ્ણને ખ્યાલમાં રાખી, રાસ-ગરબામાં એમના પ્રેમને વણી લેતાં અનેક ગીતો બનાવ્યાં છે. રાસ-ગરબા એમના પ્રેમને વણી લેતાં અનેક ગીતો બનાવ્યાં છે. રાસ-ગરબા લોકજીવનમાં જેમ જેમ વણવા ગયા તેમ તેમ તેમાં લોકગીતો લીલા તેમજ અખૂટ શક્તિની પ્રશંસા કરતાં ગરબા-રાસ પણ રચાયા.આપણે જાણીએ છીએ કે કોઈપણ વસ્તુ ગતિમાં હોય ત્યારે જ તેમાંથી શક્તિ પેદા થાય છે. પૈડું અથવા કોઈપણ વસ્તુ સ્થિર હોય તો તેમાંથી શક્તિ ઉત્પન્ન થતી નથી. સ્થિર દેખાતી બેટરી જેવી ચીજોમાં પણ શક્તિ ઉત્પન્ન કરવા માટે અણુ, પરમાણુ, ઈલેક્ટ્રોનને સતત ઘૂમવું પડે છે.પ્રોટીન અને ન્યુટ્રોનની આસપાસના ઘૂમતા ઈલેક્ટ્રોનના અણુઓને તમે જોયા હશે અથવા તેનું ચિત્ર જોયું હશે.કોમ્પ્યુટર ગ્રાફિકની ટેક્નોલોજીથી આ દ્રશ્ય જુઓ તો તેમાં અલૌકિક રાસ-ગરબાના દર્શન થશે. પુરુષ અને પ્રકૃતિની લીલા જેવા રાસ-ગરબામાં થોડાં ઉડાં ઉતરીએ તો બ્રહ્માંડના રહસ્યને પાર પામવાની ચાવી હાથ લાગી જાય.આ સિવાય ગરબા, રાસ અને રાસાડા વચ્ચેનો ભેદ સમજી લેવો પણ જરૃરી છે.
લોકસાહિત્યમાં અનેક પ્રકારના ગરબા-રાસ ઉત્કૃષ્ટ રીતે ભળી ગયા છે.લોક સમાજમાં ખૂબ પ્રચલિત રાસ અને રાસડા વચ્ચે ભેદ છે. આ ભેદ સમજવો જરૃરી છે. સૌરાષ્ટ્રમાં રાસડા અને તાલી રાસનો પ્રકાર છે.ગરબામાં નૃત્યનું તત્વ વધારે હોય છે. જ્યારે એક તાળીનો ગરબો અને ત્રણ તાલીના રાસડા આજે વધારે પ્રચલિત છે. રાસમાં જે જુસ્સો અને તરલતા પ્રાધાન્ય ભોગવે છે તે જે રાસડામાં નજરે પડતાં નથી.રાસમાં કોમળતાનું તત્વ ધારે છે.નારીના જીવનના આનંદ, ઉલ્લાસ અને વિષાદને વ્યક્ત કરવાનું રાસડા ઉત્તમ માધ્યમ છે. રાસડા સંઘ જીવનનો પરિપાક છે. લોકગીતો અનેક રાસગીતો રચાયાં… છતાંય એની મીઠાશ અને મધુરતામાં અંશ માત્ર ઓટ નથી આવી. કારણ કે, એ સહજ ભાવે પ્રગટયાં છે. એની સરળતા, સુગમતા, રોચકતા અને સંવેદન, પ્રયત્નપૂર્વક લખાયેલાં ગીતોમાં ઝીલાતાં નથી. કારણ કે સ્વયંસ્ફુરણાનો અભાવ વર્તાય છે.
લોકહૈયાંએ રચેલા રાસડામાં માધુર્ય વિલસે છે તેથી જ એ એટલા ભાવવાહી અને વેધક છે કે ગાયક અને શ્રોતા એક સરખી લાગણી અનુભવે છે અને સમાન ભૂમિકાએ પહોંચે છે. કોઈપણ વાઘ વગર માત્ર તાલીના તાલ ઉપર લેવાતા આવા રાસડાઓમોં પગનો તાલ કમરની લચક અને અંગનો હિલ્લોળ અને તોલે તાલે પડતી તાલીઓ સમગ્ર કાયાને નૃત્યની અદ્ભુત મુદ્રામાં ઢાળી દે છે.સ્વ.મેઘાણીના શબ્દોમાં રાસડાને મૂલવીએ તો, ’સાગર વલોયેલો તેમાંથી વિષ અને અમૃત જેવાં મિશ્ર રત્નો નીકળ્યાં, મહીડા વલોવાય છે તેમાંથી માખણના પીડ ઉતરે છે તેવી રીતે સ્ત્રીઓના હૈયામાં જ્યારે સુખ દુઃખ આશા-નિરાશા, ઉમંગ કે આધારિત જેવી કોઈપણ બળવાન ઉર્મિ સ્વાઈને રૃપે ઘૂમવા માંડી ત્યારે તેમાંથી આ રાસડા નીકળ્યાં.દાંડિયારાસ સૌરાષ્ટ્રનું એક આગવું અને અનોખું નૃત્ય છે. દાંડિયારાસમાં શોર્ય અને સૌદર્યનું અદ્ભુત સાયુજ્ય સધાયું છે! એમાં જોમ અને જુસ્સાની મોહક છટા જોવા મળે છે. દાંડિયારાસનો સમાવેશ નૃત્યની વિવિધ શૈલીમાં ’ઉદ્દત’ પ્રકારમાં થાય છે. મોટાભાગે પુરુષો જ દાંડિયારાસ લે છે.સોળમાં શકતમાં ખાનદેશમાં જઈ ગયેલા પંડિત પુંડરિક વિઠ્ઠલે રચેલા ’નૃત્ય નિર્ણય’ નામે સંગીતના ગ્રંથમાં દાંડિયાના આકાર, માપ, રંગરૃપ વિષે ખૂબ વિગતવાર નોંધ મળી આવી છે. ૧૫મી સદીથી દાંડિયા લગભગ ચોક્કસ સ્વરૃપ ધારણ કરતાં આવ્યાં છે. પરોણામાંથી તૈયાર કરેલા, સંખેડા ઉતાર અવનવાં રંગોથી સજાવેલા, મોતી, ભરેલાં, ફુમતાંવાળાં, પિત્તળના અને રૃપાના ઘુઘરીવાળા, ચોક્કસ માપના ચોક્કસ જાડાઈના દાંડિયા સૌરાષ્ટ્રના જુદા જુદા સ્થળે પ્રચલિત છે.દાંડિયારાસમાં દોઢિયા, પાંચિયા, સાતિયા અને ભેટિયા, નમન અને મંડલ લેવાય છે. ગોફ ગૂંથનનાં અદ્ભુત અંગભંગ હેરત પમાડે એવા હોય છે. એમાં ખંડમંડળો અને સ્વસ્તિક રચાય છે. એકપાદ અને દ્વિપાદનાં ચલનવૈવિધ્ય થાય છે. દાંડિયા લેતાં લેતાં જે આકારો રચાય અને અલગ વૈવિધ્ય હોય તેવા દરેક પ્રકારનાં નોખાં નામ છે.સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં એના ગ્રામીણ શબ્દો મળી આવે છે. જાતિગત સંસ્કાર પ્રમાણે દાંડિયારાસમાં વૈવિધ્ય પ્રગટે છે. આ વર્ષે નવરાત્રિમાં મન મૂકીને નાચો. તમારે રાસ-ગરબાના આ મહોત્સવમાં ઘણું પામવાનું છે, જ્યારે ગુમાવવાનું તો કશું છે જ નથી.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કૉંગ્રેસના રાજકારણનું અધઃપતન

aapnugujarat

મોબાઈલને બહુ માથે ચડાવવા જેવો નથી

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1