શ્રી સોમનાથ મંદિર ખાતે ૮૯ જેટલા ફાયર સેફ્ટી સંસાધનો લગાવવામાં આવેલ છે. આકસ્મિક સંજોગો માં કોઈ ઘટના બને તો તેને પહોંચી વળવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના વિવિધ મંદિરો, ગેસ્ટ હાઉસો, સિક્યોરિટી સહિતના તમામ અધિકારીઓ કર્મચારીઓ, બિવિજી ટીમને આગ લાગ્યા બાદ આપત્તિમાં સમયસૂચકતા વાપરીને આગને કેવી રીતે કાબૂમાં લેવી તે અંગે થિયેરીકલ અને પ્રેક્ટીકલ તાલીમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કેસ ફાયરના ચીતલભાઇ ઠાકર તથા મહિપાલ ભાઇ દ્વારા આ લાઇવ ડેમો અને તાલીમ આપવામાં આવેલ હતી.
તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ