કૉંગ્રેસના રાજકારનું અધઃપતન
કૉંગ્રેસના રાજકારણનું એટલું બધું અધઃપતન થયું છે કે, ગાંધીના ગયા પછી કૉંગ્રેસના ઠીકરા ઊડતા આપણને દેખાશે. કૉંગ્રેસ દેશના સ્વાતંત્ર્યનો દાવો કરે છે પણ તે માત્ર નર્યો ઢોંગ છે. કૉંગ્રેસ એ નિર્ભેળ – ચોખ્ખા સ્વાતંત્ર્ય અથવા સમાત માટે જરાય લડતું નથી. તથા કૉંગ્રેસના સ્વાતંત્ર્યમાં આપણને સ્વાતંત્ર્ય મળળાની જરાયે આશા નથી. સામાજિક, રાજકીય અને આર્થિક સમત મળશે નહીં અને આપણી સાથે ભાતૃભાવનો વહેવાર પણ કરવામાં આવશે નહીં. એટલે જ મેં કૉંગ્રેસની આ સ્વાતંત્ર્યની લડાઈની વ્યાપક ચળવળમાં જોડાયા સિવાય, હજારો વર્ષોથી ગુલામગીરીમાં સબડતાં મારા અસ્પૃશ્ય સમાજના ઉદ્ધારના કામમાં મારું જીવન સમર્પિત કરી દીધું છે. દેશનાં સ્વાતંત્ર્ય કરતા અસ્પૃશ્યોધ્ધારના સિવાય ઉદદાત અને શ્રેષ્ઠ એવું બીજું એકેય કાર્ય હોય એવુ લગીરેય મને લાગતુંનથી. હું જે સમાજમાં જન્મ્યો છું, તે સમાજના ઉદ્ધાર માટે ઝૂઝવું એ મારું પરમ કર્તવ્ય છે.
(‘પિપલ્સ હેરલ્ડ’ સાપ્તાહિકના પ્રકાશન પ્રસંગે : ૪ જાન્યુઆરી ૧૯૪૫, ‘જનતા’ સામયિક : ૧૩ જાન્યુઆરી ૧૯૪૫)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ