તમામ લોકો જાણે છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં રિલેશનશિપમાં છે અને બંને પોતાની લાઇફને એન્જોય કરી રહ્યા છે. શરૂઆતમાં બંનેએ પોતાના રિલેશનશિપને લઇને ચર્ચા કરવાનું ટાળ્યું પરંતુ ચર્ચાઓ વધી જતાં બંનેએ મીડિયામાં એકબીજા માટેના પ્રેમને સ્વીકારી દીધો. આ ચર્ચાને ત્યારથી શરૂ થઇ જ્યારે સોનમ કપૂર અને આનંદ આહુજાના રિસેપ્શનમાં રણબીર-આલિયા એકસાથે આવ્યા અને ફોટોગ્રાફર્સ પડાવવા માટે પોઝ પણ આપ્યા હતા.મળતી માહિતી અનુસાર, જલ્દીથી જ આલિયા અને રણબીરના પેરેન્ટ્સ પોતાના બાળકોના રિલેશનશિપની વાત વધારવા માટે એકબીજાને મળી શકે છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, રણબીર-આલિયાની અપકમિંગ ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ મળ્યા પછી પેરેન્ટ્સ એક ફોર્મલ ડિનર પર મળી જશે. કહેવાઇ રહ્યુ છે કે, રણબીર-આલિયા બંને આ રિલેશનશિપને લઇને સીરિયસ છે અને પેરેન્ટ્સની મુલાકાત બંનેમાંથી કોઇ એકના ઘરે યોજાઇ સકે છે. જો રિપોટ્ર્સ સાચા પડે તો ટૂંક સમયમાં જ રણબીર-આલિયાના લગ્નના સમાચાર મળશે.આ સિવાય રણબીર કપૂર પણ થોડા દિવસ પહેલા આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટને મળવા માટે પહોંચ્યો હતો. બંને એક્ટર્સની મમ્મીઓ એટલે કે સોની રાઝદાન અને નીતૂ કપૂર પણ સોશ્યલ મીડિયા પર એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવતી રહે છે. આ તમામ ચર્ચાઓ પરથી લાગી રહ્યુ છે કે, ટૂંક સમયમાં રણબીર-આલિયા લગ્નમાં બંધાઇ જાય તો કઇ નવાઇ નહીં.