મોબ લિન્ચિંગની વધુ એક ઘટના ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લામાં બની છે. જ્યાં ગામલોકોએ ખંડણીખોર અને તેના સાગરીતને મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
કુખ્યાત અપરાધી જીતેન્દ્ર પ્રતાપ પોતાના ૪ સાથીદારો સાથે ખંડણી વુસલવા માટે ગામના સરપંચ જયપ્રકાશના ઘરે ગયા હતો અને ૨ લાખની માંગણી કરી હતી.સરપંચે ખંડણી આપવાનો ઈનકાર કરતા જીતેન્દ્ર અને તેના સાગરીતોએ સરપંચની માતા અને બીજા સભ્યોને મારવાનુ ચાલુ કરતા બૂમરાણ મચી ગઈ હતી. બૂમો સાંભળી દોડી આવેલા ગામલોકોએ બદમાશોની બરાબર ધોલાઈ કરી હતી. જેના પગલે જિતેન્દ્ર પ્રતાપનુ સ્થળ પર જ મોત થયુ હતુ. જ્યારે તેના બીજા સાથીદાર ધનંજય યાદવનુ હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયુ હતુ.ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. બીજી તરફ મરનાર જિતેન્દ્રના પરિવારજનોનુ કહેવુ છે કે જિતેન્દ્ર ખંડણી વસુલવા માટે નહી પણ ગામમાં મજૂરો લેવા માટે ગયો હતો. એ પછી ગામલોકોએ તેની હત્યા કરી નાંખી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ