લોક કલ્યાણ સેવા સંસ્થા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વડગામમાં દ્વિતીય સર્વધર્મ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન વિવિધ સંપ્રદાયના ધર્મગુરૂઓની ઉપસ્થિતીમાં યોજાયા હતા જેમાં સર્વધર્મની અનાથ યુવતીઓ સહિત ૫૧ યુગલોના સમુહ નિકાહ થયા હતા. વડગામ સહિત સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લામાં કોઈપણ ભેદભાવ વગર સેવા કાર્યની સુવાસ પ્રસરાવતા લોક કલ્યાણ સેવા ટ્રસ્ટના ચેરમેન ડા નવીનભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા યોજાયેલા સમુહ લગ્નમાં વિવિધ સંપ્રદાયના ધર્મગુરૂઓ, અને આગેવાનોએ નવદંપતિઓને શુભેચ્છા પાઠવી હતી આ સમુહ લગ્નમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે સમન્વય જોવા મળ્યો હતો. પોતપોતાની ધાર્મિક વિધી થી એક મંડપમાં સમુહ લગ્નયોજાતા કોમી એકતાના અદ્દભુત દૃશ્યો જોવા મળ્યા હતા.
આ પ્રસંગે સામાજીક આગેવાન વિનુભાઈ પરમાર,વશરામભાઈ મકવાણા, પં.પુ સંત અખિલેશ દાસજી, શાહઆલમ દરગાહના ખાદિમ સુબામિયાં સહિતના ધર્મગુરૂઓએ દામ્પત્ય જીવન સુખી નિવડે તેવા આર્શિ વચનો આપ્યા હતા.
પાછલી પોસ્ટ