Aapnu Gujarat
રમતગમત

ધોની કુલદીપ પર ભડક્યો, કહ્યું : ૩૦૦ મેચ રમનારને તું મૂર્ખ સમજે છે..?

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને “કેપ્ટન કૂલ” કહેવામાં આવે છે, પરંતુ તે ઘણીવાર એવું જોવા મળ્યું હશે કે, જ્યારે ધોનીએ પોતાના જુનિયર ખેલાડીઓની મેદાનમાં કલાસ લગાડી દીધી હોય. ટીમ ઇન્ડિયાના બોલર કુલાદીપ યાદવે આ વાતનો ખુલાસો કર્યો હતો.
હકીકતમાં, ટીમ ઈન્ડિયાના સ્પિનરોમાં કુલદીપ યાદવ અને યસવેન્દ્ર ચાહાલ ખાસ રહેલા છે. બંને તાજેતરમાં ટેલિવિઝન શો ‘વૅાટ ધ ડક’ માં આવ્યા હતા. ત્યારે આ શોમાં કુલદીપ યાદવે એમએસ ધોની એક વાતનો ખુલાસો કર્યો હતો.
ધોનીની વાત કરતા કુલદીપ યાદવે કહ્યું હતું ,એક વખત ધોની તેના પર ભડકી ગયો હતો. આ વાત ઇન્દોર શ્રીલંકા સામે રમાયેલી ટી ૨૦ મેચની છે.
પરંતુ ધોનીની આ વાતને કુલદીપ યાદવે આલતુ ફાલતુ સમજીને કહ્યું કે, ‘ના ના, રહેવા દો આ ફિલ્ડિંગ વધુ સારી છે.’ માહી આ વાત પર ગુસ્સે થયો અને તેણે કુલદીપને મેદાન પર જ ખરાબ રીતે ઝટકણી કાઢ્યો. ધોનીએ કુલદીપ યાદવને આંગળીનો ઇશારો કરીને બોલાવ્યો અને કહ્યું, ‘શું તમને લાગે છે કે ૩૦૦ ક્રિકેટ મેચો રમનાર ખેલાડી મૂર્ખ લાગે છે?’ આ સાંભળીને, કુલદીપનો ચહેરો ઊતરી ગયો અને તેણે ચૂપચાપ ફિલ્ડિંગ પરિવતૅન લાવ્યો.
આગામી ઓવરમાં, ધોનીનો આ નિર્ણય સાચો સાબિત થયો. કુલદીપ યાદવની ગેંદ દ્વારા પોઇન્ટ પર ઊભેલા ફિલ્ડરે શ્રીલંકાના બેટ્‌સમેનનો કેચ પકડી લીધો.તે દિવસે કુલદીપ યાદવને પહેલી વાર ધોનીનો અનુભવ સમજ્યો.

Related posts

ડર્બન ટેસ્ટ મેચમાં આફ્રિકા પર ઓસ્ટ્રેલિયાની ૧૧૮ રને જીત

aapnugujarat

जितने भी बल्लेबाज देखे, उनमें स्मिथ हैं बेस्ट : टिम पेन

aapnugujarat

અભૂતપૂર્વ રોમાંચ વચ્ચે ફીફા વર્લ્ડકપ આવતીકાલથી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1