Aapnu Gujarat
મનોરંજન

સલમાન-બોનીનાં સંબંધો પર અર્જુન કપૂરે લાગાડ્યું ગ્રહણ

અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ભલે એક બીજા સાથે નજરે જોવા મળી રહ્યા નથી. ભલે બંને એવું સાબિત કરવામાં લાગ્યા છે કે બંનેના સંબંધ હવે પૂરા થઇ ગયા છે. પરંતુ તાજેતરમાં બંનેએ એવું કામ કર્યું છે જે બાદ ફિલ્મી ગલિયારેમાં એક વખત ફરીથી બંનેના નજીક આવવાના સમાચાર સામે આવવા લાગ્યા છે.
અર્જુન કપૂર અને મલાઇકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર એક બીજાનો ફોટો લાઇક કર્યો છે. જો કે આ ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ જ્યારે સલમાન ખાનથી લઇને બોની કપૂર સુધી એમની એ મિત્રતા પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યો છે. એવી સ્થિતિમાં બંનેનું એકબીજાનો ફોટો પસંદ કરવો પણ મોટી વાત માનવામાં આવી રહી છે.
સૂત્રો અનુસાર પપ્પા બોની કપૂરે અર્જુન કપૂરને કડક સૂચના આપતા કહ્યું છે કે એ મલાઇકાથી દૂર રહે, માનવામાં આવે છે કે અર્જુન સાથે નજીક આવવાનું વધતું હોવાને લીધે મલાઇકા અરબાઝના ડિવોર્સ થયા હતા. આ કારણ છે સલમાન ખાન પણ અર્જુન કપૂરથી નારાજ છે.
કેટલાક મીડિયા રિપોટ્‌ર્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાન ખાન અર્જુન કપૂર સાથે વાત કરતો નથી. આટલું જ નહીં, સલમાન ખાન એટલો નારાજ છે કે એને બોની કપૂર સાથે પણ બોલવાનું બંધ કરી દીધું છે. સલમાન ખાન બોની કપૂરની કોઇ પણ ફિલ્મ સાઇન કરી રહ્યો નથી.
માહિતી મળી હતી કે બોની કપૂર ’વોન્ટેડ’ની સીક્વલમાં સલમાન ખાનને કાસ્ટ કરવા ઇચ્છતા હતા. પરંતુ સલમાન ખાને ના પાડતો એમને મજબૂરીથી એ રોલ ટાઇગર શ્રોફને આપી દીધો છે. અર્જુન કપૂર હાલમાં ’નમસ્તે લંડન’ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તે પરણિતી ચોપડા સાથે જોવા મળશે.

Related posts

તમન્ના અને રણવીર એક સાથે નજરે પડશે

aapnugujarat

સાઇના નહેવાલની બાયોપિકમાં કામ કરવા શ્રદ્ધા કપુરે ટ્રેનિંગ લીધી

aapnugujarat

છ વર્ષની વયે જાતીય સતામણીનો ભોગ બન્યાનો કંગનાએ કર્યો ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1