દિલ્હીના એક કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ભાજપના કાર્યકર્તાઓએ કાળા વાવટાઓ ફરકાવ્યા હતા. અરવિંદ કેજરીવાલ આ ઘટનાથી ગુસ્સામાં આવતા બીજેપી કાર્યકર્તાઓને જૂતા મારવાની ચેતવણી આપી દીધી હતી, સાથે જ તેમના વર્તન બદલ ઓકાતમાં રહેવાનું પણ જણાવ્યું હતું.શનિવારે અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભાના ક્ષેત્રમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ પીવાના પાણીની પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરવાના હતા. સુત્રોનું માનવામાં આવે તો કેજરીવાલના આવતા પહેલા ત્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મુખ્યમંત્રીના આવતાની સાથે જ ભાજપના કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવવાના શરૂ કરી દીધુ હતું. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કેજરીવાલે મેટ્રોના બજેટને કેન્સલ કરતા ગ્રામીણ લોકોને આની અસર પડી શકે તેમ છે.આ સમયે કેજરીવાલ મંચ પર ભાષણ દેવા માટે આવ્યા હતા. જેની વિરૂદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. અંતે ગુસ્સાયેલા કેજરીવાલે કાબૂ ગુમાવતા ભાજપના કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે, ઓકાતમાં રહો, નહીં તો એટલા જૂતા પડશે કે ઓળખી નહીં શકો. કેજરીવાલના આ પ્રકારના વર્તનના કારણે હાલ દિલ્હીમાં વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.