Aapnu Gujarat
બ્લોગ

નાણાકીય બાબતમાં કોઈ તમારો ગેરફાયદો ન ઉઠાવી જાય તે જુઓ

મારા એક મિત્રને હૃદયમાં લોહી પહોંચાડતી ધમનીઓની સમસ્યા હતી. તેમાં એક બ્લોકેજ સર્જાયો હતો. મારા મિત્ર સિગારેટ અને શરાબ બંનેનું વ્યસન ધરાવે છે. તેમની જોબમાં પણ ભારે સ્ટ્રેસ હોય છે અને વર્કઆઉટ કરવાનો સમય નથી મળતો. અમે ડોક્ટરની સલાહ લીધી તો તેમણે સ્મિત કરીને કહ્યું કે તે બરાબર થઈ જશે.મને વિચાર આવ્યો કે ડોક્ટરે તેને ચેતવણી શા માટે ન આપી. પછી મારા મગજમાં આવ્યું કે મારા મિત્ર એ ફક્ત એક દર્દી નથી. તે ડોક્ટરના ગ્રાહક પણ છે. ડોક્ટરે તેમની સાથે એવો વ્યવહાર કરવાનો હોય છે જેથી તેમને સારું લાગે અને ડોક્ટરને પણ નિયમિત બિઝનેસ મળતો રહે. ડોક્ટર બહુ મૃદુ ભાષામાં વાત કરે છે કારણ કે તે એક સેલ્સમેનની જેમ કામ કરે છે. તેમની કોર્પોરેટ હોસ્પિટલે તેમને રેવન્યુના ટાર્ગેટ આપ્યા હશે. દરેક દર્દી દીઠ કેટલી આવક થાય છે તે માપદંડના આધારે તેને નાણાં ચૂકવવામાં આવે છે. આ નીતિના કારણે આપણને ભારે નુકસાન થયું છે પરંતુ તેને આપણે હજુ સમજી શક્યા નથી.શાળાઓ તોફાની બાળકોને શિસ્તના પાઠ નથી ભણાવતી. વાલીઓએ એટલી ઊંચી ફી ભરી છે કે તેઓ પોતાનાં બાળકો માટે વિશેષાધિકાર માંગે છે અને કુમળા માનસમાં પણ આ વાત બેસી જાય છે. બીજી તરફ કેટલીક અંડરગ્રેજ્યુએટ કોલેજો યુવાન વિદ્યાર્થીઓ પર અવાસ્તવિક અને વધારે પડતાં નિયંત્રણો લાદે છે. ચેન્નાઈની એન્જિનિયરિંગ કોલેજોના કેમ્પસમાં જશો તો તમને આ વાત જોવા મળશે.કોચિંગ ક્લાસિસ છાપા અને મેગેઝિનોમાં જાહેરખબરો છપાવે છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થનારા વિદ્યાર્થીઓનાં નામ અને રેન્ક લખવામાં આવે છે. તેઓ કોલ સેન્ટર અને કાઉન્સેલર્સ સાથેના રૂમ ધરાવે છે. તેઓ સલાહકારના નામે લોકોને ભોળવે છે. તેઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજાવે છે કે ઊંચી ફી ભરવાથી તેમનાં બાળકોને ટોચની શાળા-કોલેજમાં પ્રવેશ મળી જશે.તમે બેન્કમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરવા પ્રવેશ કરશો તો રિલેશનશિપ મેનેજર દોડી આવશે અને તમને કોઈ પ્રોડક્ટ ખરીદવા માટે સમજાવશે. એનઆરઆઇ લોકો ઘણી વખત પોતાનું એડ્રેસ ચેન્જ કરાવવા માટે બેન્કમાં જાય ત્યારે તેમને વીમા પોલિસી આપી દેવામાં આવે છે જેમાં દર વર્ષે તેમણે અમુક લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડે છે. તમે કોલ સેન્ટરમાં ફોન કરીને મદદ માંગશો તો તેઓ તમને હોલિડે પેકેજ વેચવા પ્રયાસ કરશે. અથવા નાણાકીય પ્રોડક્ટ વેચવાનો પ્રયાસ કરશે. તેઓ તમને હપતા કરી આપશે અથવા નવી સ્કીમમાં રોકાણ કરવા લલચાવશે. સપોર્ટ સ્ટાફે તમારી સમસ્યા ઉકેલવાની હોય છે, પરંતુ તેમને પણ આવકના અને વેચાણના ટાર્ગેટ આપવામાં આવ્યાં છે.આજના આધુનિક યુગની આ સમસ્યા છે જ્યાં આપણે સૌ પ્રથમ ગ્રાહકો અને ક્લાયન્ટ છીએ. ઘણા બિઝનેસ એવા છે જેના ટકવાનો આધાર આપણને તેઓ શું વેચી શકે છે તેના પર રહેલો છે. આપણને વેચાણ કરીને જ તેમની સાઇઝ વધી શકશે. તે આપણા નાણાકીય જીવનને કઈ રીતે અસર કરે છે અને આપણે તેમાં શું કરી શકીએ?પ્રથમ, એક બેલેન્સ સ્થાપિત કરો જેથી તમે તમારા અધિકારો અને જવાબદારીઓ વિશે જાણી શકો. આપણે વીમા પ્રોડક્ટ ખરીદીએ ત્યારે આપણે વીમા કંપનીને જણાવીએ છીએ કે આપણને અણધાર્યો આંચકો લાગે ત્યારે તેઓ આપણી પડખે રહે. આપણે પરિવાર માટે સંપત્તિનું સર્જન કરીએ છીએ કારણ કે તે આપણી જવાબદારીમાં આવે છે. આપણે આ કામ કેટલી ઝડપથી અને કેટલા ઓછા સમયમાં કરી શકીએ તેનો આધાર આપણી ક્ષમતા પર રહેલો છે. આપણે જ્યારે વીમો ખરીદીએ ત્યારે આપણે સંપત્તિના સર્જનનું કાર્ય કદાચ નહીં કરી શકીએ એવી ધારણાના આધારે કામ કરીએ છીએ.બજારમાં પ્રોડક્ટ વેચતી વખતે એવો દેખાડો કરવામાં આવે છે જાણે આ પ્રોડક્ટ જ તમારા બાળકને શાળાએ મોકલશે, તમારા મેડિકલ બિલ ચૂકવશે અને તમારી નિવૃત્તિને સુરક્ષિત કરશે. આવી પ્રોડક્ટ વેચવા માટે અસત્યનો સહારો લેવામાં આવે છે.બીજું, તમે કોઈ પણ નિર્ણય લો તે જરૂરિયાત આધારિત હોવા જોઈએ. તમે શોપિંગ લિસ્ટ લઈને સુપર માર્કેટમાં જશો તો કદાચ તમારી શોપિંગ કાર્ટમાં જંક ચીજવસ્તુઓ નહીં ઉપાડો. માર્કેટર્સનું કામ છે તમને એવી જરૂરિયાતો તરફ ખેંચી જવા જે હકીકતમાં અસ્તિત્વ જ નથી ધરાવતી. તેમાં સંપૂર્ણપણે માઇન્ડગેમ રમવામાં આવે છે.ત્રીજું, તમારે કોઈ પ્રોડક્ટ ખરીદવી હોય કે ન ખરીદવી હોય તો તેમાં અંતિમ નિર્ણય માત્ર તમારો હોવો જોઈએ. ગોલ્ડ સેવિંગ્સ સ્કીમમાં તમે અમુક મહિના સુધી રોકાણ કરો અને પછી છેલ્લે તમને જ્વેલરી મળે છે. આવી સ્કિમ્સ હકીકતમાં જ્વેલરને ફાઇનાન્સ પૂરું પાડે છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ તમારાં નાણાં મૂડીબજારમાં રોકવા માટેનાં સાધન છે. તેથી તેમાં વળતરની ગેરંટી હોતી નથી.આપણે બધા જાણીએ છીએ કે આપણા ધ્યેય અનુસાર ભરોસાપાત્ર રોકાણ કરવું એ મહત્વનું છે. અહીં આપણે ૫ એવા નિષ્ક્રિય રોકાણ અંગેની ભૂલોની યાદી બનાવીએ છીએ કે જેનાથી દરેકે ઘણું દૂર રહેવું જોઈએ.આપણામાંના કેટલાક લોકો મનમાં વિશ્વાસપાત્ર ન હોય એવું આયોજન વિનાનું મનફાવે તેમ રોકાણ કરે છે. કેટલીક મૈત્રીભાવે અપાયેલી સલાહના આધારે આપણે કેટલાક શેર ખરીદીએ છીએ તો ટેક્સ બચાવવા માટે નાણાકીય વર્ષના અંતે કરવા જઈ રહેલા રોકાણો આપણી નાણાકીય રૂપરેખાને સુસંગત છે કે નહીં એ અંગે ખરેખર સમજ્યા વિના કેટલુંક રોકાણ છેલ્લી ઘડીએ કરીએ છીએ. આપણે આપણા રિસ્ક (સાહસો) અંગેની રૂપરેખાના આધાર પર આપણા ધ્યેયો, આવક, ખર્ચાઓ, આપણા આશ્રિતો વગેરેની યાદી બનાવીને તે અનુસાર નાણાકીય આયોજન કરવું જોઈએ અને ત્યારબાદ એ નાણાકીય આયોજનનો અમલ કરવો જોઈએ.એક એ પણ મહત્વનું છે કે એ માટે અંદાજપત્ર હોવું જોઈએ અને એને વળગી રહેવું જોઈએ. જો એનું કડક રીતે પાલન ન થાય તો આપણે બિનજરૂરી બાબતોમાં આપણા સાધનોને વેડફી નાંખીએ છીએ. અને વિમો ખરીદવા જેવી મહત્વની બાબતો માટે પૈસા હોતા નથી.ચોક્કસ, તમારે રોકાણ નિષ્ણાત બનવાની આવશ્યકતા નથી પરંતુ તમે જેમાં તમે રોકાણ કરી રહ્યા છો એ તમામ સાધનો, સંપત્તિ (માલ – મિલકત) અને વ્યવસાયો અંગે તમારે સજાગ રહેવું જોઈએ. તે માટે બજારને સમજવાની કોશિશ કરો, વળતરની અપેક્ષાઓ અથવા કેવી રીતે વ્યવસાયનું સંચાલન થાય છે તે જુઓ. જો તમે સજાગ નથી તો તમારે પ્રયત્ન કરવો જોઈએ વધુ અભ્યાસ માટે અથવા એમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ.તમારી વળતરની અપેક્ષાઓ તેમજ તમારા નાણાકીય ધ્યેય પર આધારિત જુદા જુદા પ્રકારની સંપત્તિઓમાં મૂડીરોકાણ કરવું તમારા માટે જરૂરી છે. જો તમે માત્ર એક અથવા બે પ્રકારની મિલકતમાં મુડી રોકાણ કરો છો તો ત્યાં એને લગતું બજાર મંદ પડવાથી તમારું નાણાકીય આયોજન નષ્ટ થઈ જશે અને તમે ગુમાવાની સ્થિતિમાં આવી જશો. ઘણી વખત કુટુંબનો માત્ર એક વ્યક્તિ સામાન્ય રીતે જે વ્યક્તિ રોકાણ કરે છે તે, કુટુંબની નાણાકીય સ્થિતિથી માહિતગાર હોય છે. આ બાબત ટાળવા યોગ્ય છે. કારણ કે જીવનમાં ભાવિ આગાહી કરવી શક્ય નથી. એક કરતાં વધુ વ્યક્તિઓએ પરિવારની નાણાકીય વિગતો જેવી કે વીમા અંગેનો ક્લેઈમ (દાવો), મેડિકલ ક્લેઈમ અંગે જાણવું જોઈએ. ભૌતિક સંપત્તિઓ જેવી કે રોકાણ અંગેના દસ્તાવેજો, સોનું, બોંડ સર્ટિફિકેટ્‌સ, સહી સલામત તેમજ સુરક્ષિત રાખવા જોઈએ અને ઓછામા ઓછા એક પરિવારના સભ્યે વિગતો અંગે માહિતગાર રહેવું જ જોઈએ. બેંક તેમજ ડીમેટ ખાતાને લગતા પાસવર્ડ સલામત રાખવા જોઈએ પરંતુ એ માટે જરૂર પડ્યે બેંકિંગ તેમજ ડીમેટ ખાતાને લગતી તમામ કાર્યવાહી કરી શકે એવી કોઈ વિશ્વાસુ વ્યક્તિ હોવી એ પ્રકારના ચોક્કસ રસ્તાની આવશ્યકતા છે.આપણે એવા રોકાણોમાં પૈસા રાખીએ છીએ કે જે નકામા પડી રહ્યા હોય. કાં તો એ કેટલીક વ્યાવસાયિક સલાહો પર આધારિત હોય છે અથવા તો આપણા પોતાના સંશોધન અને વિશ્લેષણ પર આધારિત હોય છે. પરંતુ આવા નિર્ણયો ઊંધા પડે અને અપેક્ષા મુજબ વળતર આપવાંર બદલે નુકશાન પહોંચાડે છે એવું પણ બની શકે કે કામચલાઉ ધોરણે મૂડી-મિલકતમાં આખલાની ઝડપે તેજગતિએ વધારો થઈ રહ્યો હોય અને ત્યારબાદ બજાર દ્વારા તેની ખરી કિંમત નક્કી થઈ જાય (સ્થાયીપણે ભાવો ગગડી જાય). આપણામાંના ઘણાં કેટલાક બિનઉપયોગી રોકાણોને પકડી રાખવાની ભૂલ કરે છે, એવું વિચારીને કે લાંબા ગાળે એના ભાવમાં ઉછાળો આવશે. પરંતુ આપણી ભૂલ સ્વીકારીને એવા નકામા રોકાણોને વેચી નાંખવા અને એ પૈસા કોઈ સારી સંપત્તિમાં રોકવા એ વધુ સારું કાર્ય ગણાશે.ભારે મહેનત કરીને કમાવેલા નાણાનું રોકાણ કરવું એ આપણા અને આપણા કુટુંબના ભવિષ્ય માટે ઘણું કપરૂં કાર્ય છે. અને આપણે ખાતરી કરી લેવી જોઈએ કે આપણું રોકાણ કરવું એ આપણી કમાણી જેટલું જ અગત્યનું ગણવું જોઈએ.

Related posts

આજનું જ્ઞાન

aapnugujarat

આકાશમાં પણ હવે ઉબેર જેવી સર્વિસ શરૂ થઇ જશે

aapnugujarat

લાખો રૂપીયા તને મુબારક, બસ મારે તો માત્ર મારા પતિનો પ્રેમ જ જોઇએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1