Aapnu Gujarat
બ્લોગ

( કર્મ નો ‘સાચો’ સિધ્ધાંત )

મહાભારત નું યુદ્ધ પુરું થયું
અને,
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં…

પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું –

“હે માધવ,
યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ?

એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ?

એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ?

આ પાપ તમે કેમ થવા દીધું ? ”

પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં…
અને,
ફક્ત સ્મિત આપ્યું !

પણ,
રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં
અને,
ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં…

ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં :
” હે પ્રિયા,
એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી…

પણ,
એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું ‘પાપ’ કર્યું હતું કે –

જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..!!”

રુક્મિણી : “કયું પાપ નાથ ?”

શ્રીકૃષ્ણ : હે દેવી,
એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે –
જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ…

એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે ‘સક્ષમ’ હતાં…

પણ,
એમણે મૂંગા રહીને જોયા કર્યું !

જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું ??

આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતા ને ધોઈ નાખવા માટે પૂરતું હતું !! ”

રુક્મિણી : એ સાચું સ્વામી…

પણ,
કર્ણનું શું ?
એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ?

જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું !

ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં…

એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ??

શ્રીકૃષ્ણ : મહારાણી,
જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો…

અને,
સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ !

તેને શ્રદ્ધા હતી કે –
દુશ્મન હોવાં છતાં,
મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે…

પણ,
પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..

ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે –

કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું…
અને,
એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો !

હે રુક્મિણી,

આ એક જ ‘પાપ’ એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું…

અને,
કાળની અકળ ગતિ જુઓ કે –

એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં –
એનાં રથનું પૈડું ફસાયું…

અને,

તેનાં મૃત્યુનું કારણ બન્યું !!

આ જ છે –

કર્મનો ‘સિદ્ધાંત’

કોઈને કરેલા અન્યાય ની એક જ પળ…

જીવન આખાની પ્રમાણિકતાનો ‘છેદ’ ઉડાડી મૂકે છે ||.

Related posts

લેનિનની વિચારધારા કઇ રીતે તોડશો…..

aapnugujarat

પાણી પૃથ્વી પરના જીવનને માટે આશીર્વાદરૂપ છે

aapnugujarat

ભાજપનું મિશન ૨૬ અશક્ય નહીં પણ મુશ્કેલ જરૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1