Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેરમાં સાવચેતીના તમામ પગલા છતાં ઝાડા ઉલ્ટી ૪૪૨ કેસો નોંધાયા

વધતી જતી ગરમી વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નવા નવા સપાટી પર આવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં જ ઝાડા ઉલ્ટીના સેંકડો કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૧૪ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૪૪૨, કમળાના ૧૦૭, ટાઇફોઇડના ૧૩૩ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આ મહિનાની શરૂઆત થઇ છે ત્યારે ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કમળાના કેસો પર એપ્રિલ ૨૦૧૭ની સરખામણીમાં ઓછા નોંધાયા હોવા છતાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૧૪ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૮૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૮ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૨ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે. એપ્રિલ ૨૦૧૭ સાવચેતીના દરમિયાન લેવામાં આવેલા ૫૮૨૫૩ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૧૪મી એપ્રિલ સુધીમાં ૩૬૧૦૨ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી કુલ વર્ષ ૨૦૧૭ દરમિયાન ૧૭૪૯ અલગ અલગ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા હતા. માર્ચ ૨૦૧૮માં ૧૭૫ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૦ અપ્રમાણિત જાહેર થયા હતા. ૧૬૫ નમૂના પ્રમાણિત જાહેર થયા હતા આવી જ રીતે ૧૪મી એપ્રિલ ૨૦૧૮ સુધીમાં ૬૨ અલગ અલગ નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂના તપાસવાના બાકી છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે.

Related posts

વડોદરા જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ માટે અરજીઓ મોકલી આપો

aapnugujarat

જમીન રિ-સર્વે ગોટાળાને લઇ વર્ગવિગ્રહ થઇ શકે છે : વિપક્ષ

aapnugujarat

25 વર્ષ બાદ ગુજરાતના દરિયાકાંઠે લાગ્યું 10 નંબરનું સિગ્નલ

editor

Leave a Comment

UA-96247877-1