Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ માટે અરજીઓ મોકલી આપો

જાન્યુઆરી મહિનાનો વડોદરા જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મહિનાના ચોથા ગુરુવાર તા.૨૫/૦૧/૨૦૧૮ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે યોજાવાનો છે. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરવા માંગતા અરજદારોને તેઓના સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી કે પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં તા.૧૦/૦૧/૨૦૧૮ સુધીમાં કલેકટર કચેરીમાં પોસ્ટથી કે રૂબરૂમાં રજુ કરવાના રહેશે. અરજી ઉપર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા હેઠળ લેવું તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. આ અંગેની અરજી બે નકલમાં આપવાની રહેશે. નિયત સમયમાં મળેલી અરજીઓ જ ધ્યાને લેવાશે એમ નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયુ છે. વિગતવાર જાણકારી માટે કલેકટર કચેરીની જનસંપર્ક શાખાનો સંપર્ક કરવો.

Related posts

અમદાવાદના ચાંગોદરમાં નેપાળી યુવકની ઢોર માર મારીને હત્યા

aapnugujarat

बीमा नहीं उनको केंद्र के नियम अनुसार सहायता होगी : मुख्यमंत्री

aapnugujarat

હિંમતનગરમાં બધી પ્રતિમાઓને ફૂલહાર કરાયા

editor

Leave a Comment

UA-96247877-1