Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીજી તમે રેપની ઘટનાઓના વિરોધમાં ઉપવાસ કેમ નથી કરતા?- કોંગ્રેસ

કઠુઆમાં ૮ વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવી ક્રુરતા બદલ કોંગ્રેસે મોદી સરકાર સામે સવાલો ઉઠાવ્યાં છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ગુરૂવારે કહ્યું કે મોદીજી રેપની ઘટનાઓના વિરોધમાં ઉપવાસ કેમ નથી કરતા? ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હસ્તીઓએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. અભિનેતા-નિર્દેશક ફરહાન અખ્તરે કહ્યું કે, જો તમે તે ૮ વર્ષની બાળકીનું દર્દ નથી સમજી શકતા તો તમે માણસ નથી. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ કહ્યું કે કાયદો તોડવાને સાંખી નહીં લેવાય. આ દરમિયાન રાજ્યના વકીલોએ આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.
કઠુઆના જંગલોમાં ૧૭ જાન્યુઆરીએ ૮ વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો હતો.કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, “વડાપ્રધાનજી તમે શું સંદેશ આપવા માંગો છો, બેટી બચાવો કે પછી બેટી છુપાવોનો? વડાપ્રધાન ઉન્નાવ અને કઠુઆમાં બળાત્કાર મામલે મૌન કેમ છે? તેઓ રેપની ઘટનાઓના વિરોધમાં ઉપવાસ કેમ નથી કરતા? તેઓ તે લોકોને કેમ નથી જણાવતાં કે આ ઘટનાઓથી તેમને ખરાબ લાગી રહ્યું છે અને તેથી તેઓ ઉપવાસ કરી રહ્યાં છે.
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, કઠુઆ રેપ કેસની તપાસ તેજીથી થઈ રહી છે. ગેરજવાબદાર હરકતોને કારણે કાયદાને તૂટવા નહીં દઈએ. આ મામલે ન્યાય જરૂરથી મળશે.
બોલીવુડ સેલેબ્સે વ્યક્ત કરી નારાજગી
જાવેદ અખ્તરઃ જે લોકો મહિલાઓ માટે ન્યાયની વાત કરે છે, તેઓ કઠુઆ અને ઉન્નાવ રેપ કેસના આરોપીઓ અને તેમને બચાવનારા લોકોની સામે ઊભા રહો.
ટિસ્કા ચોપડાઃ જો સરકારે આ મામલે કડક કાર્યવાહી ન કરી તો આગામી ચૂંટણીમાં તેઓને વોટ નહીં મળે.
ફરહાન અખ્તરઃ નશીલી દવાઓ વિરૂદ્ધ, બંધક બનાવવા અને રેપ કરવાના સમયે તે ૮ વર્ષની બાળકી પર શું અસર પડી હશે. જો તમે તેનો ભય અનુભવી ન શકો તો તમે માણસ જ નથી.
તમન્ના ભાટિયાઃ આ દેશ ક્યાં જઈ રહ્યો છે? કેટલી નિર્ભયાઓને બલિદાન આપવું પડશે, ક્યારે સુધારો થશે? જે દેશ પોતાની મહિલાઓની રક્ષા નથી કરી શકતો તેના વિચારો ઘણાં જ જૂનાં અને તેમને ઈલાજની જરૂર છે.
કઠુઆમાં જાન્યુઆરીમાં ૮ વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને તેની હત્યાની ઘટના બકરવાલ સમુદાયના વિસ્તારને હટાવવાનું કાવતરું હતું. જમ્મુ-કાશ્મીરની ક્રાઇમ બ્રાન્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ૮ આરોપીઓ વિરુદ્ધ દાખલ બે ચાર્જશીટમાં આ આવો કર્યો.ફોરેન્સિક તપાસમાં સાબિત થઈ ચૂક્યું છે કે હત્યાના પહેલા બાળકીને એક સપ્તાહ સુધી દેવીસ્થાનમાં ગોંધી રાખવામાં આવી. પોલીસે કઠુઆ સ્થિત રાસના ગામમાં દેવીસ્થાનના સેવાદાર સાંઝી રામને અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો મુખ્ય કાવતરાખોર બતાવ્યો છે. તેની સાથે કુલ ૮ લોકો ધરપકડ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક હિન્દુ એકતા મંત્રથી પણ જોડાયેલા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સીજીએમ કોર્ટમાં ૮ આરોપીઓ વિરુદ્ધ બે અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરી છે.તેમાં કહેવામાં આવ્યું છે કે બાળકીને મંદિરમાં ભૂખી-તરસી રાખવામાં આવી.
મંદિરનું સંચાલન સેવારામ સાઝીરામ કરે છે. બાળકીને ખાલી પેટમાં નશીલી દવાઓ આપવામાં આવી અને અહીં તેની પર ૮ લોકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું.

Related posts

ઉત્તરાખંડના બારાહુતી વિસ્તારમાં ૨૦૦-૩૦૦ ચીની સૈનિકો ઘૂસ્યા

aapnugujarat

જીએસટી લાગૂ થતા ૧ જૂલાઇથી રેલ સફર મોંઘી થશે

aapnugujarat

યુપીમાં ભારે વરસાદ : ૬૦થી વધુનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1