નાના સિક્કા માર્કેટમાંથી બહાર થઇ રહ્યા છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી ૩૫૦ રૂપિયાના સિક્કા જારી કરવાની તૈયારી કરી લીધી છે. ટૂંક સમયમાં જ આ સિક્કી બજારમાં દેખાશે. આરબીઆઈ ૩૫૦ રૂપિયાના આ સિક્કાને ગુરુગોવિંદસિંહ મહારાજની ૩૫૦મી જન્મજ્યંતિ પર પ્રજાની વચ્ચે રજૂ કરશે. અત્રે નોંધનીય છે કે, આ સિક્કાને ખુબ નાની અવધિ માટે જારી કરવામાં આવશે. કેન્દ્રીય બેંક તરફથી આવા સિક્કાને ખાસ પ્રસંગો ઉપર જારી કરવામાં આવે છે. આ સિક્કા ૪૪ એમએમના રહેશે. આ સિક્કા ચાંદી, કોપર, નિકલ અને ઝીંકથી બનશે. સિક્કાની સામેવાળા હિસ્સામાં અશોક સ્તંભ રહેશે. તેની નીચે સત્યમેવ જયતે લખવામાં આવશે. સિક્કાની બંને તરફ અંગ્રેજીમાં ઇન્ડિયા અને દેવનગરીમાં ભારત લખવામાં આવશે. સિક્કાના આ હિસ્સા પર રૂપિયાના સિમ્બોલ અને વચ્ચે ૩૫૦ રૂપિયા લખેલા રહેશે. આરબીઆઈ તરફથી જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, સિક્કાની પાછળવાળા હિસ્સામાં હરમિન્દરસિંહ પટણાસાહેબ તખ્તનું ચિત્ર રહેશે. આ ચિત્રની ઉપર અને નીચે અંગ્રેજી અને દેવનગરીમાં ગુરુગોવિંદ સાહેબની ૩૫૦મી પ્રકાશ પર્વ જેવી બાબતોનો ઉલ્લેખ હશે. આ સિક્કાની બંને બાજુએ ૧૬૬૬ અને ૨૦૧૬ લાખવામાં આવશે. જો કે, રિઝર્વ બેંક તરફથી હજુ જણાવવામાં આવ્યું નથી કે, ૩૫૦ રૂપિયાના કેટલા સિક્કા જારી કરવામાં આવશે.
પાછલી પોસ્ટ