Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધુનિક પૃથ્વી-૨ મિસાઈલનું ફરી વખત સફળ પરિક્ષણ થયું

ભારતે આજે ઓરિસ્સાના બેલાસોર ખાતે ટેસ્ટ રેંજથી સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલી પરમાણુ સક્ષમ પૃથ્વી-૨ બેલાસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલનું પરીક્ષણ સવારે ૧૧.૩૫ વાગે બેલાસોરના ચાંદીપુર ખાતે ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેંજથી કરવામાં આવ્યું હતું. લોંચ કોમ્પ્લેક્ષ ત્રણથી મોબાઇલ લોન્ચર મારફતે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૧૮મી જાન્યુઆરીના દિવસે અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે ગઇકાલે ઓરિસ્સાના અબ્દુલ કલામ દ્વીપથી અગ્નિ–૧ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યા બાદ આજે સતત બીજા દિવસે વધુ એક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. ૨૭મી જાન્યુઆરી ૧૯૯૬ના દિવસે ચંડીપુરમાં આ મિસાઇલનું પ્રથમ વખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભૂમિથી ભૂમિમાં પ્રહાર કરવામાં સક્ષમ આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં સંરક્ષણ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલી આ મિસાઇલ ૨૫૦-૩૫૦ કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. બેલાસોર નજીક ચંદીપુર ખાતે ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેંજ (આઈટીઆર)ના લોંચ કોમ્પ્લેક્ષ-૩થી આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું હતું. સ્ટેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા મિસાઇલનો ટ્રાયલ ડેટા કરવામાં આવ્યા બાદ તેના પરિણામ હકારાત્મક રહ્યા છે. સંરક્ષણ સુત્રોએ કહ્યું છે કે, આ અતિઆધુનિક મિસાઇલ ૫૦૦ કિલોગ્રામથી ૧૦૦૦ કિલોગ્રામ વોરહેડને લઇને ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. આજે ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેંજના લોંચ કોમ્પ્લેક્ષ-૩થી પરીક્ષણ કરાયું હતું. મિસાઇલ ટેકનોલોજી ખુબ જ અતિઆધુનિક છે. આમા ઇલેક્ટ્રો ઓપ્ટિકલ પેકિંગ સિસ્ટમની વ્યવસ્થા છે. પૃથ્વી-૨ મિસાઇલ ૨૦૦૩માં એસએફસીમાં સામેલ કરવામાં આવી હતી. ભારતના પ્રતિષ્ઠાજનક ઇન્ટેગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલી આ પ્રથમ મિસાઇલ છે. તેની ટેકનોલોજી હવે અસરકારક પુરવાર થઇ છે. આજના લોંચ કાર્યક્રમને લઇને જણાવવામાં આવ્યું છે કે, એસએફસીમાં નિયમિત ટ્રેનિંગ કાર્યક્રમ તરીકે આને ગણવામાં આવે છે. પૃથ્વી-૨ મિસાઇલના નિયમિત ગાળામાં પરીક્ષણ થતાં રહ્યા છે. સિંગલ સ્ટેજની લિક્વિડ ફ્‌યુઅલ્ડ પૃથ્વી-૨ મિસાઇલની ઉંચાઈ ૫.૫૬ મીટરની છે જ્યારે ડાયામીટર ૧૧૦ સેન્ટીમીટર છે. વજન ૪૬૦૦ કિલોગ્રામ છે. પૃથ્વી-૨ મિસાઇલ એલ્યુમિનિયમ એલોઇડથી બનેલી છે. તેની પાંખો મેગ્નેશિયમથી બનાવવામાં આવેલી છે. આ મિસાઇલ ૧૦૦૦ કિલોગ્રામ સુધી વોરહેડને લઇને ત્રાટકવામાં સક્ષમ છે. આ મિસાઇલ ખુબ જ ઘાતકરીતે ત્રાટકી શકે છે.

Related posts

અલવર ગેંગરેપ મામલે ગેહલોત સરકાર પગલા નહીં લે તો ટેકો પાછી ખેંચી લઈશું : માયાવતી

aapnugujarat

ભારત-યુરોપીયન સંઘ વચ્ચેની બેઠકમાં પીએમ મોદી વર્ચ્યુઅલી હાજર રહ્યા

editor

કોંગ્રેસ છોડી જેડીએસ લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે..!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1