Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧.૫ લાખ કરોડ ઠલવાયા

વિદેશી મૂડીરોકાણકારોએ વર્ષ ૨૦૧૭માં ભારતીય ડેબ્ટ માર્કેટમાં ૧.૫ લાખ કરોડ રૂપિયાનુ રોકાણ કર્યુ હતુ. કરેન્સીની સ્થિતી સ્થિર રહેતા આ સ્થિતી સર્જાઇ હતી. બોન્ડને લઇને પણ આશાસ્પદ સ્થિતી દેખાઇ હતી. અગાઉના વર્ષમાં જંગી ફંડ પરત ખેંચી લેવામાં આવ્યા બાદ રોકાણકારો આશાસ્પદ દેખાઇ રહ્યા છે. નવેસરના આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં ડેબ્ટ માર્કેટમાં ૧.૪૯ ટ્રિલિયન રૂપિયા ઠાલવી દેવામાઆવ્યા હતા. વર્ષ ૨૦૧૬માં ૪૩૬૪૫ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૪માં ક્રમશ ૪૫૮.૫૬ અબજ અને ૧.૬ ટ્રિલિયન રૂપિયા મળ્યા હતા. સરખામણીમાં વિદેશી રોકાણકારોએ ગયા વર્ષે ૫૧૦ અબજ રૂપિયાની ખરીદી કરી હતી. ઉંચી ક્રૂડ ઓઇલની કિંમતોના પરિણામ સ્વરુપે માર્કેટ ભાગીદારો માઇક્રો આર્થિક મોરચાને લઇને સાવધાન થયેલા છે. નવેમ્બર મહિનામાં ૧૯૭૨૮ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. માર્ચ મહિના બાદથી એફપીઆઈ દ્વારા સૌથી જંગી રોકાણ કરવામાં આવ્યું હતુ. માર્ચ મહિના બાદથી એફપીઆઇ દ્વારા સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યુ હતુ. માર્ચ મહિનામાં ઇક્વિટી માર્કેટમાં ૩૦૯૦૬ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી રહી હતી. ઓક્ટોબર મહિનામાં સ્ટોક માર્કેટમાં ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૯૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા તે પહેલા સપ્ટેમ્બર મહિનામાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકાર દ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ગયા વર્ષે ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે. ફેબ્રુઆરી-ઓગસ્ટના તે પહેલાના છ મહિનામાં એફપીઆઈ દ્વારા ૧.૭૮ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. મૂડી માર્કેટમાં સેબી દ્વારા હાલમાં જ લેવામાં આવેલા પગલાની સીધી અસર એફપીઆઈ ઉપર નોંધાઈ છે. એફપીઆઈ દ્વારા ભારત ઉપરાંત ચીન જેવા અન્ય દેશો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ચીનમાં વેલ્યુએશન સરખામણીની દ્રષ્ટિએ વધારે આકર્ષક હોવાના આંકડા પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યા છે.વધતી જતી ક્રૂડની કિંમતો અને વધતા જતાં ફિસ્કલ ડેફિસિટના આંકડાના પરિણામ સ્વરુપે મૂડીરોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. રૂપિયાની હિલચાલ ઉપર પણ કારોબારીઓની નજર કેન્દ્રિત રહી છે.

Related posts

કુલભુષણ જાધવ કેસ મામલે આઈસીજેમાં ભારત ૧૭ એપ્રિલે જવાબ રજુ કરશે

aapnugujarat

CM Reddy cancels Chandrababu Naidu’s order by allowing CBI to investigate in AP

aapnugujarat

ડેરાની તપાસ દરમિયાન પોલીસે ૨ લેપટોપ જપ્ત કર્યાં : એક હનીપ્રીતનું હોવાની આશંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1