Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

તેલ કિંમતમાં ઉછાળા વચ્ચે દલાલ સ્ટ્રીકમાં ભારે ઉથલપાથલ થઇ શકે

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સપ્તાહ દરમિયાન જુદા જુદા અનેક પરિબળોની અસર માર્કેટ પર જોવા મળી શકે છે. કમાણીના આંકડા અને તેલ કિંમતોની બજાર પર સીધી અસર થનાર છે. ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર ગાળા)ના તેમના નાણાંકીય પરિણામો જાહેર કરવાની શરૂઆત ઇન્ડિયા ઇંક દ્વારા કરવામાં આવનાર છે. તેના પર તમામ કારોબારીઓની નજર રહેશે. ઓછા જીડીપીની કરવામાં આવેલી આગાહીની સીધી અસર પણ બજાર જોવા મળી શકે છે. ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો, ઇરાકમાં કટોકટી સહિતના પરિબળોની અસર પણ જોવા મળી શકે છે. શુક્રવારના દિવસે એસએન્ડપી બીએસઇ સેંસેક્સ ૧૮૪ પોઇન્ટ ઉછળીને ૩૪૧૫૪ની સપાટી પર રહ્યો હતો. પ્રાઇવેટ સેક્ટર બેંક યશ બેંકના શેરમાં પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. નેશનલ સ્ટોક ઇન્ડેક્સ નિફ્ટીમાં ૫૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૫૫૮ની રહી હતી. પાંચમી જાન્યુઆરીના દિવસે જારી કરવામાં આવેલા સીએસઓના આંકડામાં જણાવવામાં આવ્યુ હતુ કે ભારતમાં જીડીપી દર વર્તમાન નાણાંકીય વર્ષમાં ૬.૫ ટકા સુધી રહેશે. જે વર્ષ ૨૦૧૬-૧૭ કરતા ઓછો દર છે. આ ગાળામાં દર ૭.૧ ટકા આંકવામાં આવ્યો હતો. ગયા વર્ષે જુલાઇમાં નવી જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર જીડીપી પર થઇ હતી. ૧૧મી જાન્યુઆરીથી ઇન્ડિયા ઇંક દ્વારા તેમના પરિણામો જાહેર કરવાની શરૂઆત કરવામાં આવનાર છે. ઇન્ડસઇન્ડ બેંક અને આઇટીની મોટી કંપની ટીસીએસ દ્વારા ગુરૂવારના દિવસે તેમના આંકડા જારી કરવામાં આવનાર છે. જ્યારે સલીલ પારેખના નેતૃત્વમાં ઇન્ફોસીસ દ્વારા શુક્રવારે ૧૨મી જાન્યુઆરીના દિવસે આંકડા જારી કરવામાં આવનાર છે. તમામ પરિણામ પર કારોબારીઓની નજર કેન્દ્રિત રહેશે. દરમિયાન અપોલો માઇક્રો સિસ્ટમના આઇપીઓ પર નજર કારોબારીની રહેનાર છે. હૈદરાબાદ સ્થિત આ કંપનીના આઇપીઓ ૧૦મી જાન્યુઆરીએ ખુલશે.કંપની દ્વારા તેના ઓફરિંગ માટે પ્રતિ શેર ૨૭૦-૨૭૫ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. તે ૧૫૬ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. ઇસ્યુ મારફતે ઉભા કરવામાં આવનાર રકમનો ઉપયોગ વધારાના વર્કિંગ કેપિટલ અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવનાર છે. રિટેલ ઇન્વેસ્ટચરોને ઇસ્યુ પ્રાઇઝ પર ૧૨ રૂપિયાની છુટછાટ આપવામાં આવનાર છે. સાત જેટલા પરિબળો બજારની દિશા નક્કી કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. હાલમાં પૂર્ણ થયેલા શિયાળુ સત્રમાં કોઇ ખાસ સફળતા મળી ન હતી. સાથે સાથે બજેટ પણ હવે નજીક છે. ગુજરાતમાં ઓછા માર્જિનથી જીત મળ્યા બાદ સરકાર આકર્ષક પગલા પર બજેટમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

Related posts

राहुल ने मोहन मरकाम को छत्तीसगढ़ प्रदेश कांग्रेस कमिटी का अध्यक्ष बनाया

aapnugujarat

અરુણ જેટલીની જગ્યાએ હું હોત તો રાજીનામું આપી દીધું હોત : ચિદમ્બરમ

aapnugujarat

डॉक्टरों के खिलाफ हिंसा: केंद्रीय स्वास्थ्य मंत्री की डॉक्टरों से अपील-अपना कर्तव्य जरूर निभाएं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1