જાણીતા શાયર અનવર જલાલપુરીનું આજે ૭૧ વર્ષની વયે નિધન થઇ ગયું છે. જલાલપુરીના પુત્ર શાકહારે જણાવ્યું કે તેમના પિતાએ આજે સવારે લખનઉની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું કે જલાલપુરીને ગત ૨૮ ડિસેમ્બરે સેરેબ્રલ ટ્રોમાના કારણે કિંગ જ્યાર્જ મેડિકલ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. જલાલપુરીને આવતી કાલે જોહરની નમાઝ બાદ આંબેડકર નગર સ્થિત તેમના પૈતૃક સ્થળ જલાલપુરમાં સુપર્દે ખાક કરવામાં આવશે.મુશાયરાઓ માટે જાણીતા જલાલપુરીએ ‘રાહરૌ રહનુમા તક’,’ઉર્દુ શાયરીમાં ગીતાંજલી’ તથા ભગવદ્ ગીતાનો ઉર્દુમાં અનુવાદ ‘ઉર્દુ શાયરીમાં ગીતા’ જેવા પુસ્તકો પણ લખ્યાં છે, જે ખુબ જ લોકપ્રિય પણ છે. તેંમણે ‘અકબર-ધ ગ્રેટ’ ધારાવાહિકના સંવાદ પણ લખ્યાં હતાં.
આગળની પોસ્ટ