નગાડા સંગ ઢોલ બાજે પર જોરદાર ડાન્સ કરીને તમામ ચાહકોને રોમાંચિક કરી દેનાર દિપિકા હવે સંજય લીલાની નવી ફિલ્મ પદ્માવતિને લઇને ભારે આશાવાદી છે. આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણાહુતિના આરે પહોંચી ગયુ છે. ફિલ્મમાં દિપિકાએ ખુબ મહેનત કરી હોવાના હેવાલ મળ્યા છે. આ વખતે તે રાજસ્થાનના પંરપરાગત ઘુમર પર ડાન્સ કરતી નજરે પડનાર છે. સંજય લીલા આ વખતે પદ્માવતિ પર ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં રણવીરસિંહ અને શાહિદ કપુર પણ કામ કરી રહ્યા છે. રણવીરસિંહ ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીના રોલમાં નજરે પડનાર છે. જ્યારે શાહિદ કપુર રાણા રતનસિંહના રોલમાં નજરે પડનાર છે. બન્ને પોત પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે તમામ મહેનત કરી રહ્યા છે. મેવાડની મહારાણીને હાંસલ કરવા માટે ચિત્તોડ પર હુમલા કરવાની અલાઉદ્દીન ખિલજીની પટકથા પર આધારિત આ ફિલ્મ છે. રણવીર અને દિપિકાની સાથે સંજય લીલાની આ સતત ત્રીજી ફિલ્મ છે. તે પહેલા બે ફિલ્મ બનાવી ચુક્યા છે. રણવીરસિંહ અલાઉદ્દીન ખિલજીના નકારાત્મક રોલમાં નજરે પડનાર છે. જ્યારે શાહિદ કપુર મેવાડના રાણાની ભૂમિકામાં નજરે પડનાર છે. જળ મહેલના સેટ પર દિપિકા ઘુમર કરી ચુકી છે. જેની રચના મહેબુબ સ્ટુડિયો ખાતે કરવામાં આવી હતી. આ ફિલ્મ પર બજેટનો આંકડો ૧૮૦ કરોડની આસપાસનો પહોંચે તેમ માનવામાં આવે છે. સંજયલીલાની અગાઉ બાજીરાવ મસ્તાની ફિલ્મ તમામ ચાહકોને પસંદ પડી હતી. આ ફિલ્મમાં પણ રણવીરસિંહે બાજીરાવની ભૂમિકા અદા કરી હતી. જ્યારે દિપિકાએ મસ્તાનીની ભૂમિકા અદા કરી હતી. પ્રિયંકા ચોપડા પણ ફિલ્મમાં કામ કરી ગઇ હતી. તેની બાજીરાવના પ્રથમ પત્નિ તરીકેની ભૂમિકા હતી. શાહિદને મોટી ફિલ્મ ઘણા સમય બાદ હાથ લાગી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ