બોલિવુડ સ્ટાર સંજય દત્ત પાસે હાલમાં કેટલીક ફિલ્મો છે. આ તમામ ફિલ્મો પૈકી તે સૌથી પહેલા ભૂમિ ફિલ્મમાં નજરે પડનાર છે. જેમાં અદિતી રાવ અભિનેત્રી તરીક નજરે પડનાર છે. તે જે પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે તે તમામ મોટા પ્રોજેક્ટ છે. તેની પાસે જે ફિલ્મો છે તેમાં વિદુ વિનોદ ચોપડા, ઇન્દ્ર કુમારની ટોટલ ધમાલ, સિદ્ધાર્થ આનંદ, રાજકુમાર હિરાનીની ફિલ્મનો સમાવેશ થાય છે. તે ખલનાયક રિટર્નમાં પણ કામ કરી રહ્યો છે. જો કે તેની તમામ ફિલ્મ રજૂ થવામાં સમય લાગી શકે છે. સંજયદત્ત અને અર્શદ વારસીને ચમકાવતી મુન્નાભાઇ સિરિઝની ત્રીજી ફિલ્મ બનાવવા માટેની હિલચાલ શરૂ થઇ હોવાના અહેવાલ મળ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ફિલ્મની પટકથા પહેલાથી જ તૈયાર કરી લેવામાં આવી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. હવે ટુંક સમયમાં શુટિંગ શરૂ કરવામા ંઆવનાર છે. સંજય દત્ત થોડાક સમય પહેલા જેલમાંથી તેની નિર્ધારિત અવધિ પહેલા જેલમાંથી મુક્ત થઇ ગયો હતો. તેના સારા વર્તનના કારણે તેની અવધિ ઘટાડી દેવામાં આવી હતી.આ ફિલ્મના શુટિંગને લઇને તમામ તૈયારી અંગે ટુંક સમયમાં જાહેરાત કરવામા આવી શકે છે. શકે છે. સંજયદત્તને વર્ષ ૧૯૯૩માં દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના મામલે ગેરકાયદે હથિયારો રાખવા બદલ તેને દોષિત ઠેરવી દેવામાં આવ્યો હતો. ગેરકાયદે હથિયારો રાખવા મામલે તે દોષિત જાહેર કરાયો હતો. સંજયદત્ત દ્વારા અભિનિત અગાઉની મુન્નાભાઇ સિરિઝની બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સિરિઝની પ્રથમફિલ્મ મુન્નાભાઇ એમબીબીએસ રહી હતી. ત્યારબાદ લગે રહો મુન્નાભાઇ ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. જે હિટ રહી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ