ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૧૭ અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા.) અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની બેઠકની ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નર્મદા જિલ્લા માટે નિમાયેલા ચૂંટણી નિરીક્ષક (જનરલ) શ્રી અશોકકુમાર (IAS) તેમજ પોલીસ નિરીક્ષક તરીકે નિમાયેલા શ્રી સંદીપ પાટીલ (IPS) નું ગઇકાલ તા.૨૦ મી નવેમ્બર, ૨૦૧૭ ને સોમવારના રોજથી નર્મદા જિલ્લામાં આગમન થયું છે. નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન તેઓશ્રીઓનું રોકાણ કેવડીયા કોલોની વી.વી.આઇ.પી. ગેસ્ટ હાઉસ ખાતે રહેશે. તેઓશ્રીના સંપર્ક માટે નિરીક્ષક (જનરલ) શ્રી અશોકકુમારનો મો.નં- ૮૧૪૧૫૧૦૩૭૩ છે જ્યારે પોલીસ નિરીક્ષકશ્રી સંદીપ પાટીલનો મો.નં- ૮૧૪૧૫૧૦૩૨૯ છે, જેની સંબંધકર્તા તમામે નોંધ લેવા વિનંતી છે.
આગળની પોસ્ટ