Aapnu Gujarat
ગુજરાત

કમળ શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતિક : પંડ્યા

ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ ગઈકાલે સોશિયલ મીડીયામા ફરતી યાદી ખોટી છે એમ કહી ભાજપ ઉપર જુઠ્ઠો આક્ષેપ કર્યો હતો તે વખતે કોંગ્રેસ આખી ખોટી છે એમ અમે કહેલુ તે સાબિત થયુ છે તેમ કહેતા કહ્યુ કે,કોંગ્રેસ નાપાસ થઈ.પાસને પણ હવે લાગ્યુ છે કે,મારા હાળા કોંગ્રેસવાળા છેતરી ગયા.જે રીતે ઘટનાક્રમો બની રહ્યા છે તે પરથી લાગે છે કે,ગુજરાતની જનતા હંમેશા શાણી,સમજુ અને ડાહી રહી છે.પરંતુ ૨૨ વર્ષથી સત્તા વગર તરફડતી કોંગ્રેસ હવે કોંગ્રેસ ગાંડી થઈ જશે.કોંગ્રેસે હંમેશા ગુજરાતમા અશાંતિ અને અંધાધૂધી ફેલાવવાનો સતત પ્રયાસ કર્યો છે.તે તેની પાર્ટીમાંજ બૂમરેંગ સાબિત થયુ.વિકાસના મુદ્દાને મજાક સમજતી કોંગ્રેસે જ્ઞાતિવાદ, કોમવાદ દ્વારા વિવાદ,વેરઝેર કરવા સતત પ્રયાસ કર્યો હવે તેના હાથના કર્યા હૈયે વાગ્યા છે. અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકીના નિવેદન સામે પ્રત્યાઘાત આપતા કહ્યુ કે,ગુજરાતની જનતાએ કોંગ્રેસના તમામ પ્રકારના વિકૃત સ્વરૂપો જોયા છે.કોંગ્રેસ હંમેશા નર્મદા વિરોધી,વિકાસ વિરોધી,ગુજરાત વિરોધી અને ગુજરાતના નેતૃત્વ વિરોધી રહી છે તેથી કોંગ્રેસના ગુજરાતના લોકોની લાગણી વિરૂધ્ધના ગઠબંધનો કયારેય સફળ નહી થાય.કોઈપણ ઘટનાક્રમ બને ત્યારે કોંગ્રેસના નેતાઓ પોતાના નેતૃત્વની નિષ્ફળતા છુપાવવા ભાજપ પર ખોટા આક્ષેપ કરે છે અતિવૃષ્ટિમા તેના ધારાસભ્યો પૂરપીડીતોની સેવામા જાય નહી અને બેંગલોરની ફાઈવ સ્ટાર હોટલમા જલસા કરે તો તેમા પણ કહે કે ભાજપનો હાથ છે.પોતાના ધારાસભ્યો જતા રહે તો પણ કહે કે ભાજપનો હાથ છે ભાજપ માટે આ પ્રમાણેનો અપપ્રચાર કરવાનુ કોંગ્રેસ બંધ કરે રાજયમાં ૧૫૦ બેઠકો ભાજપ જીતશે એમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

Related posts

નરેન્દ્ર મોદી ૧૦મીએ ગુજરાતમાં આક્રમક ચુંટણી પ્રચાર માટે તૈયાર

aapnugujarat

રાજ્યમાં ૩૮.૭૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું

aapnugujarat

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કેન્દ્રીય કમિટિમાં નિમણૂક

editor

Leave a Comment

UA-96247877-1