સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં ૩૧ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી પંચદિવસીય કાર્તિક પૂર્ણિમાનાં ભવ્ય મેળાની તૈયારીઓ પૂર્ણતાનાં આરે છે. મેળાનાં સમગ્ર દિવસો દરમિયાન સોમનાથ મહાદેવનું મંદિર રંગ-બે-રંગી ઝળહળતી રોશનીથી ન્હાતું જોવાનો દિવ્ય નજારો જોવા મળશે.
મેળા દરમિયાન દર્શનાર્થીઓ માટે મંદિર રોજ રાત્રિનાં ૧૧ વાગ્યા સુધી તથા કાર્તિક પૂર્ણિમાનાં દિવસે રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને મધ્ય રાત્રિએ મહાપૂજા અને મહાઆરતી બાદ દર્શન બંધ થશે.
પૂનમને ધર્મગ્રંથોમં પાવન પર્વ સમાન ગણાય છે. કાર્તિક પૂર્ણિમાનાં આ ભવ્ય મેળામાં સરદાર વલ્લભભાઈ પટેલ અંગે પ્રદર્શન તથા કાર્યક્રમ તેમજ સુપ્રસિદ્ધ સુફી ગાયક ઓસમાણ મીર, લોકસાહિત્યકાર માયાભાઈ આહીર તેમજ અમદાવાદનાં સુરીલી સરગમ કલાવૃંદનાં સલીલભાઈ મહેતા તથા કલ્યાણીબેન કોઠાળકર સુમધુર લગ્નગીતો ‘સાજણ બેઠુ માંડવે’ રજુ કરશે જેમાં વેવિશાળથી માંડી કન્યા વિદાય સુધીનાં લગ્નગીતોનો આસ્વાદ કરાવશે જેમાં પ્રાધ્યાપક માર્ગીબેન હાથી વિસરાતા લગ્નગીતો અંગેનો રસપ્રદર દૌર રજુ કરશે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)