કડી તાલુકાના મેડા આદરજ ગામે મંદિરના પાવન સાનિધ્યમાં ‘‘આપણું ગુજરાત’’ દૈનિક દ્વારા ‘‘આપણું ગામ આદર્શ ગામ’’ અંતર્ગત સેમીનારનું આયોજન થયું. આ પ્રસંગે ગામના આગેવાન શ્રી રણછોડભાઈ પ્રજાપતિ, કેળવણી મંડળના ટ્રસ્ટી બળદેવભાઈ પટેલ, આંગણવાડીની બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સેમીનારમાં ‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્માએ ઉપસ્થિત લોકોને શિક્ષણ, સ્વચ્છતા અને સરકાર દ્વારા કરાયેલાં કાર્યોની માહિતી આપી હતી.