Aapnu Gujarat
ગુજરાત

દિલ્હી યુનિવર્સિટીનો આદેશઃ પરિસરની દિવાલોમાં કોઈ પોસ્ટર ચોંટાડી શકાશે નહીં

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દિલ્હી યુનિવર્સિટીએ કડકાઈપૂર્વક એ વાતનો અમલ કરવાનો આદેશ આપ્યો છે કે તેના પરિસરની દિવાલોમાં કોઈ પોસ્ટર કે પેમ્ફલેટ ચોંટાડી શકાશે નહી.એનજીટીના અધ્યક્ષ ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારની અધ્યક્ષતાવાળી બેન્ચે દિલ્હી સરકારને યુનિવર્સિટીના આદેશની મદદ કરવાનું કહ્યું છે.
બેન્ચે કહ્યું કે દિલ્હી યુનિવર્સિટીના ચૂંટણી અધિકારીની સાથે સાથે દિલ્હી યુનિવર્સિટી તરફથી રજૂ થયેલા વકીલોએ પણ કહ્યું છે કે પોસ્ટરોને હટાવી લેવાયા છે અને તે નક્કી કરશે કે પર્યાવરણને નુકસાન થવાથી રોકશે તેમજ સાથે-સાથે પરિસરને ગંદુ કરવાના અર્થે ભવિષ્યમાં યુનિવર્સિટીના કોઈ ભાગમાં તેની આસપાસના વિસ્તારમાં કોઈ પોસ્ટર ચોંટાડાશે નહીં.વકીલે જણાવ્યું કે જો કોઈ આદેશનું ઉલ્લંઘન કરશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.જેનુ ધ્યાન માત્ર ચૂંટણી દરમિયાન રખાશે તેવુ નથી પરંતુ દરેક સમયે રખાશે.

Related posts

પાનવડ પોલીસે વિદેશી દારૂ સાથે શખ્સને ઝડપ્યો

editor

હજીરામાં વ્રજ ટેંક કે-૯ રાષ્ટ્રને અર્પણ : સુરક્ષા વધુ મજબૂત થશે

aapnugujarat

અમદાવાદમાં મેટ્રો કોચનું આગમન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1