ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્ધારા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા ખાતે રૂ.૫.૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત મામલતદાર કચેરીનું લોકાર્પણ સમારોહ રાજયના મહેસુલ, શિક્ષણ (પ્રાથમિક માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, વૈદ્યાનિક અને સંસદીય વિભાગના માન. મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ સમારોહ તા.૧૨-૧૦-૨૦૧૭ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મામલતદાર કચેરી, સ્ટેશન રોડ, મહેમદાવાદ ખાતે યોજાનાર છે. આ પ્રસંગે સમારોહના મુખ્ય મહેમાનપદે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, ખેડા લોકસભાના સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ અને અતિથિ વિશેષ તરીકે ખેડા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જયંતિભાઇ સોઢા, મહેમદાવાદના ધારાસભ્યશ્રી ગૌતમભાઇ ચૌહાણ તેમજ મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઇચ્છાબને વાઘેલા ઉપસ્થિત રહેનાર છે. મહેમદાવાદ તાલુકામાં આ નવનિર્મિત મામલતદાર કચેરીના લોકાર્પણ પ્રસંગે સૌ મહેમદાવાદની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા જિલ્લા કલેક્ટરશ્રી ર્ડા.કુલદીપ આર્ય દ્ધારા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.