મૂળ સુરતના પાંડેસરાના રહેવાસી એવા છ વિદ્યાર્થીઓ તાપી નદીમાં ડૂબી ગયા હતા. જેમાંથી બેનો બચાવ થયો હતો જ્યારે ચારના ડૂબી જવાથી મોત નિપજતાં, સુરતના પાંડેસરા વિસ્તારમાં માતમ છવાયો હતો.બારડોલીના વાઘેચ પાસે તાપી નદીમાં નહાવા પડેલા છ વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. જોકે બનાવની જાણ થતાં બારડોલી ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ડૂબી ગયેલા વિદ્યાર્થીઓને શોધવા પ્રયત્ન કર્યા હતા. જેમાં બે વિદ્યાર્થીઓને બચાવવામાં સફળતા મળી હતી જ્યારે ચારના ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધું તપાસ હાથ ધરી છે. જ્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ખબર આગની જેમ ફેલાઈ જતાં, સ્તબ્ધતા વ્યાપી ગઈ હતી. માતા-પિતાના કરુણ આક્રંદે ભલભલા લોકોને રડાવી દીધાં હતા.
આગળની પોસ્ટ