Aapnu Gujarat
ગુજરાત

નવરાત્રી દરમિયાન માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્‍પદ વસ્‍તુઓ મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇ જવા મનાઇ

આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૦/૦૯/૧૭ થી ૨૯/૯/૨૦૧૭ તથા તા.૩૦/૯/૨૦૧૭ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દયાપર પોલીસ સ્‍ટેશન હસ્‍તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. પ્રવર્તમાન સમયમાં અગત્‍યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટ  શ્રી ડી.આર.પટેલે એક જાહેરનામા દ્વારા તા.૨૦/૦૯/૨૦૧૭ના વહેલી સવારે ૬ કલાકથી તા.૩૦/૯/૨૦૧૭ રાત્રિના ૨૪ કલાક સુધી માતાના મઢ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્‍પદ વસ્‍તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.

Related posts

પાણીગેટ પોલીસ મથકમાં જમા થયેલ બિનવારસી વાહનોનો નિકાલ કરાશે

aapnugujarat

હું શપથ લઉં છું કે, હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું

editor

જો તમારા હાથમાં આ નિશાન હશે તો તમારું ઘર બનીને જ રહેશે, જાણો કઈ ઉંમરે પૂરી થાય છે આ ઈચ્છા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1