આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૦/૦૯/૧૭ થી ૨૯/૯/૨૦૧૭ તથા તા.૩૦/૯/૨૦૧૭ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દયાપર પોલીસ સ્ટેશન હસ્તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. પ્રવર્તમાન સમયમાં અગત્યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રટ શ્રી ડી.આર.પટેલે એક જાહેરનામા દ્વારા તા.૨૦/૦૯/૨૦૧૭ના વહેલી સવારે ૬ કલાકથી તા.૩૦/૯/૨૦૧૭ રાત્રિના ૨૪ કલાક સુધી માતાના મઢ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્પદ વસ્તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.