પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૨૧ હજાર લોકો દ્વારા ૪૯૦૦ કરોડ રૂપિયાની બ્લેકમનીની રકમ જાહેર કરવામાં આવી છે. નોટબંધી બાદ સરકાર દ્વારા આ મુજબની વાત હવે કરવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગના એક ટોપ અધિકારીએ કહ્યું છે કે, આ ડિક્લેરેશન મારફતે હજુ સુધી ૨૪૫૧ કરોડ રૂપિયાની ટેક્સ વસુલાત કરાઈ છે. આ વર્ષે ૩૧મી માર્ચના દિવસે પુરી થયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૪૯૦૦ કરોડ રૂપિયાની બ્લેકમની જાહેર થઇ છે.