જિલ્લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૨૩ ઓગષ્ટ-૨૦૧૭ને બુધવારના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે દામાણી મ્યુ.હાઇસ્કુલ, તારકેશ્વર મહાદેવ મંદિર સામે, અમરેલી રોડ-ધારી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓર્બિટ એન્ટરપ્રાઇઝ-વડોદરાને ઓપરેટર (ધો.૧૦, ધો.૧૨ પાસ-આઇ.ટી.આઇ. કોઇપણ ટ્રેડ- ૧૮ થી ૨૬ વર્ષની વય), એલઆઇસી-અમરેલીને વીમા એજન્ટ (ધો.૧૨ પાસ કોઇપણ પ્રવાહ -૧૮ થી ૩૫ વર્ષની વય), ગુરૂકુલ મેનેજમેન્ટ માર્કેટિંગ લિ.-ભાવનગરને બ્રાંચ મેનેજર, બ્રાંચ આસિ.મેનેજર (ધો.૧૦ પાસ થી સ્નાતક સુધી-૧૮ થી ૩૫ વર્ષની વય) ઉમેદવારોની આવશ્યકતા છે. રસ ધરાવતા ઉમેદવારોને ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા તેમજ વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન-સી બ્લોક, પ્રથમ માળ, રાજમહેલ કમ્પાઉન્ડ-અમરેલીનો સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.