Aapnu Gujarat
Uncategorized

જિલ્‍લા રોજગાર કચેરી દ્વારા તા.૨૩મીએ ધારી ખાતે ભરતી મેળો યોજાશે

જિલ્‍લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૨૩ ઓગષ્‍ટ-૨૦૧૭ને બુધવારના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે દામાણી મ્યુ.હાઇસ્કુલ, તારકેશ્વર મહાદેવ મંદિર સામે, અમરેલી રોડ-ધારી  ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ઓર્બિટ એન્‍ટરપ્રાઇઝ-વડોદરાને ઓપરેટર (ધો.૧૦, ધો.૧૨ પાસ-આઇ.ટી.આઇ. કોઇપણ ટ્રેડ- ૧૮ થી ૨૬ વર્ષની વય), એલઆઇસી-અમરેલીને વીમા એજન્‍ટ (ધો.૧૨ પાસ કોઇપણ પ્રવાહ -૧૮ થી ૩૫ વર્ષની વય), ગુરૂકુલ મેનેજમેન્‍ટ માર્કેટિંગ લિ.-ભાવનગરને બ્રાંચ મેનેજર, બ્રાંચ આસિ.મેનેજર (ધો.૧૦ પાસ થી સ્‍નાતક સુધી-૧૮ થી ૩૫ વર્ષની વય) ઉમેદવારોની આવશ્યકતા છે. રસ ધરાવતા ઉમેદવારોને ભરતી મેળામાં ઉપસ્‍થિત રહેવા તેમજ વધુ વિગત માટે જિલ્‍લા રોજગાર કચેરી, બહુમાળી ભવન-સી બ્‍લોક, પ્રથમ માળ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલીનો સંપર્ક સાધવા જિલ્‍લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

Related posts

મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું કરવામાં આવ્યુ ખાતમુહૂર્ત

editor

खांभा तहसील के त्राकुडा गांव में शेर ने आठ फीट की दीवार कूदकर बछड़े को मार दिया

aapnugujarat

શ્રી અખિલ સોરઠીયા પ્રજાપતિ સમાજનું અર્ધવાર્ષિક સંમેલન સંપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1