Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યના 21 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ

           મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રપટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યની 21 નગરપાલિકાઓમાં રૂ. ૨૨.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટરર્સ (જન સુવિધા કેન્દ્ર) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  જણાવ્યું કે, આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજના નાનામાં નાના માનવી, નગરો-ગામોમાં વસતા લોકોને ઇઝ ઓફ લિવિંગ આપવા કરેલા સંકલ્પને સાકાર કર્યો છે. શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકારે સુશાસનના ૯ વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષોમાં ગરીબ અને વંચિત લોકોના ઘર આંગણા સુધી યોજનાઓ પહોંચાડી છે. વડાપ્રધાનશ્રીએ વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે તેમાં પણ નાના માનવી, ગરીબ વર્ગોની સતત ખેવના કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિ કેવી હોય અને સમય સાથે કદમ મિલાવતી ટેક્નોલોજીનો ઉપયોગ જનહિતમાં કેવી રીતે થઇ શકે તે દુનિયાને બતાવ્યું છે. વિશ્વના વિકસીત દેશો પણ આ વિકાસની રાજનીતિ માટે પ્રેરિત થયા છે. શ્રી નરેન્દ્રભાઇને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તો ‘‘મોદી ઇઝ ધ બોસ’’ કહે છે તો અનેક રાષ્ટ્રોના વડાઓ શ્રી નરેન્દ્રભાઇ શું બોલે છે એના પર મીટ માંડીને બેઠા હોય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સતત બીજીવાર યુ.એસ. કોંગ્રેસની સેનેટની બેઠકને સંબોધન કરવાનું નિમંત્રણ મળ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

તેમણે કહ્યું કે, આજના ફાસ્ટ યુગમાં ગામ, નગર કે મહાનગર દરેક વ્યક્તિને પોતાને મળતી સેવાઓ- સુવિધાઓ ઝડપી, પારદર્શી અને સરળતાએ મળે તેવી ઇચ્છા હોય છે. લોકોમાં હવે વિકાસની ભૂખ ઉઘડી છે. સેવા સેતુ દ્વારા નગરો-ગામોના લોકો પાસે સામેથી સરકાર જાય છે અને પ્રશ્નો ઉકેલે છે. તેમણે ઉમેર્યું કે, સમયથી બે ડગલાં આગળ ચાલીને આગવા વિઝન સાથે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ‘ડિલીવરી એટ ડોરસ્ટેપ’ નો અભિગમ અપનાવ્યો છે. મહાનગરોમાં મ્યુનિસીપાલિટીને નગર સેવા સદન બનાવી લોકોને ઝડપી સેવાઓ આપવા ઓનલાઇન સેવાઓ આપવા ODPS, ટેક્ષ પેમેન્ટ, પ્રમાણપત્રો કઢાવવા જેવી સેવાઓ અંડર વન રૂફ એવા સિટી સિવીક સેન્ટર્સ દ્વારા અપાય છે. તેની જેમ  જિલ્લા- તાલુકા મથકોએ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીમાં જનસુવિધા કેન્દ્રો તરીકે વિસ્તારી છે. સિટી- સિવીક સેન્ટર- મહાનગરો જેવી સિટીઝન સેન્ટ્રીક સુવિધા નગરોમાં નગરજનો માટે વન સ્ટોપ-શોપ-૪૦ થી વધુ સેવાઓ એક જ સાથે વિકાસવી છે. મોટા શહેરો જેવી આવી અદ્યતન સુવિધા અને સિટીઝન સેન્ટ્રીક સર્વિસીસ નાના નગરોને પણ મળે તેવા જનહિત ભાવથી નગરપાલિકાઓમાં સિટી સિવીક સેન્ટર-નાગરિક સુવિધા કેન્દ્રો ઊભા કરાયા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સરકારે જનતા જનાર્દનની સેવાને સાધના બનાવી લોકોને કેવી રીતે ગુણવત્તાયુક્ત સેવા આપી શકાય તેનો દાખલો બેસાડ્યો છે. કોરોના મહામારીએ નાનો રોજગાર- વ્યવસાય કરનારાઓને સૌથી માઠી અસર પહોંચાડી હતી. આવા શેરી ફેરિયાઓ, લારીઓ વાળાને ફરી બેઠા કરવા આજીવિકાનો આર્થિક આધાર વડાપ્રધાનશ્રીએ પી.એમ. સ્વનિધિ યોજનાથી આપ્યો છે. ૧૦ હજાર રૂપિયા સુધીની લોન આવા ફેરિયાઓને કોઇ પણ પ્રકારની સિક્યુરિટી વિના આપવામાં આવી છે. ગુજરાતમાં આવા પોણા ત્રણ લાખ શેરી ફેરિયાઓને પી.એમ. સ્વનિધિ યોજનામાં લાભ આપ્યો છે.

યાત્રાધામ અંબાજીના સર્વાગી વિકાસાી નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, યાત્રાધામોમાં ઇન્ફરમેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરી વડાપ્રધાનશ્રીનાો નવતર અભિગમ એટલે ચેટબોટ-અંબાજીની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી દરેકને ઘરે બેઠા અંબાજી દર્શનનો લાભ મળશે.

પાલનપુર શહેર માટે મહત્વની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પાલનપુર નગરના પ્રવેશદ્વાર અને અમદાવાદ, આબુ રોડ, ડીસાને જોડતા નેશનલ હાઇવે પરના એરોમા સર્કલ પર થતી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાનું નક્કર આયોજન કર્યુ છે. એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સાડા ૬ કરોડ રૂપિયા સરકારે મંજુર કર્યા છે. આ એરોમા સર્કલને દૂર કરીને સ્મૂધ ડાયવર્ઝન, ડેડીકેટેડ લેન, સર્વિસ રોડ, ટ્રાફિક સિગ્નલની કામગીરી ટુંક જ સમયમાં હાથ ધરાશે. જેનાથી પાલનપુર શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વ અને દિશાદર્શનમાં આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી અમૃતકાળમાં પ્રવેશ્યા છી ત્યારે આ અમૃતકાળ દેશના સૌ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ વધારનારો, આત્મનિર્ભરતાનો અને નાનામાં નાના માનવી સહિત સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસીત ઉન્નત ભારતનો અમૃતકાળ બનાવવાનો છે એના માટે આપણે સૌ સાથે મળી આગળ વધીએ.

આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ દેશનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યા પછી નગરપાલિકાઓએ હરણફાળ વિકાસ કર્યો છે. શહેરોમાં ૨૪ કલાક વીજળી, પીવાનું પાણી, રસ્તાઓ જેવી સુંદર સગવડો આ સરકારે આપી છે.

દુનિયાના કોઇપણ ખૂણે વસતા માઇભક્તો પોતાના મોબાઇલ મારફતે ઘેરબેઠાં એટ વન ક્લિક મંદિર દર્શન કરી શકશે તથા પૂજન અર્ચન, વિધિ-વિધાનની વિગતો મેળવી શકશે તે માટે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વોટ્સઅપ ચેટ બોટ- અંબાજી ઇ-મંદિરનું લોકાર્પણ, ગબ્બર જ્યોતના લાઇવ દર્શન યુ-ટ્યૂબ ચેનલ પરથી થઇ શકે તેનો શુભારંભ, અંબાજીને આંતરરાષ્ટ્રિય સ્તરના ISO સર્ટીફિકેશન-ર૦ર૦ એનાયત, પાલનપુર નગરપાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૭૨ કરોડના કામની મંજુરીના હુકમો અને પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્ય સભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયા, ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર અને શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, સંગઠન પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલા, નગરપાલિકાના પ્રમુખશ્રી કિરણબેન રાવલ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ કાંતિભાઈ કચોરીયા, શ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ, શ્રી રેખાબેન ખાણેશા, શ્રી વસંતભાઈ ભટોળ, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવશ્રી સંજીવકુમાર, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝશ્રી રાજકુમાર બેનીવાલ, કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.   વડાપ્રધાનશ્રીએ વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે તેમાં પણ નાના માનવી, ગરીબ વર્ગોની સતત ખેવના કરી છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 21 નગરપાલિકાઓમાં કુલ રૂ. ૨૨.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટરર્સ (જન સુવિધા કેન્દ્ર) ના લોકાર્પણ પાલનપુર ખાતેથી કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે જણાવ્યું કે, આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજના નાનામાં નાના માનવી, નગરો-ગામોમાં વસતા લોકોને ઇઝ ઓફ લિવિંગ આપવા કરેલા સંકલ્પને સાકાર કર્યો છે.

શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સુશાસનના ૯ વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષોમાં ગરીબ અને વંચિત લોકોના ઘર આંગણા સુધી યોજનાઓ પહોંચાડી છે. વડાપ્રધાનશ્રીએ વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે તેમાં પણ નાના માનવી, ગરીબ વર્ગોની સતત ખેવના કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિ કેવી હોય અને સમય સાથે કદમ મિલાવતી ટેક્નોલોજીનો ઉપયોગ જનહિતમાં કેવી રીતે થઇ શકે તે દુનિયાને બતાવ્યું છે. વિશ્વના વિકસીત દેશો પણ આ વિકાસની રાજનીતિ માટે પ્રેરિત થયા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સતત બીજીવાર યુ.એસ. કોંગ્રેસની સેનેટની બેઠકને સંબોધન કરવાનું નિમંત્રણ મળ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

તેમણે કહ્યું કે, આજના ફાસ્ટ યુગમાં ગામ, નગર કે મહાનગર દરેક વ્યક્તિને પોતાને મળતી સેવાઓ- સુવિધાઓ ઝડપી, પારદર્શી અને સરળતાએ મળે તેવી ઇચ્છા હોય છે.

લોકોમાં હવે વિકાસની ભૂખ ઉઘડી છે. સેવા સેતુ દ્વારા નગરો-ગામોના લોકો પાસે સામેથી સરકાર જાય છે અને પ્રશ્નો ઉકેલે છે. તેમણે ઉમેર્યું કે, સમયથી બે ડગલાં આગળ ચાલીને આગવા વિઝન સાથે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ‘ડિલીવરી એટ ડોરસ્ટેપ’ નો અભિગમ નરેન્દ્ર ભાઇ મોદીના માર્ગદર્શન માં આપણે અપનાવ્યો છે.

મહાનગરોમાં મ્યુનિસીપાલિટીને નગર સેવા સદન બનાવી લોકોને ઝડપી સેવાઓ આપવા ઓનલાઇન સેવાઓ આપવા ODPS, ટેક્ષ પેમેન્ટ, પ્રમાણપત્રો કઢાવવા જેવી સેવાઓ અંડર વન રૂફ એવા સિટી સિવીક સેન્ટર્સ દ્વારા અપાય છે. તેની જેમ  જિલ્લા- તાલુકા મથકોએ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીમાં જનસુવિધા કેન્દ્રો તરીકે વિસ્તારી છે.

હવે ગુડ ગવર્નન્સ નો અભિગમ આગળ ધપાવતા સિટી- સિવીક સેન્ટર ના માધ્યમ થી મહાનગરો જેવી સિટીઝન સેન્ટ્રીક સુવિધા નગરોમાં નગરજનો માટે વન સ્ટોપ-શોપ-૪૦ થી વધુ સેવાઓ એક જ સાથે મળતી થાય તેવી નવી પરિપાટી વિકસાવી છે. મોટા શહેરો જેવી આવી અદ્યતન સુવિધા અને સિટીઝન સેન્ટ્રીક સર્વિસીસ નાના નગરોને પણ મળે તેવા જનહિત ભાવથી નગરપાલિકાઓમાં સિટી સિવીક સેન્ટર-નાગરિક સુવિધા કેન્દ્રો ઊભા કરાયા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સરકારે જનતા જનાર્દનની સેવાને સાધના બનાવી લોકોને કેવી રીતે ગુણવત્તાયુક્ત સેવા આપી શકાય તેનો દાખલો બેસાડ્યો છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કોરોના મહામારીએ નાનો રોજગાર- વ્યવસાય કરનારાઓને સૌથી માઠી અસર પહોંચાડી હતી. આવા શેરી ફેરિયાઓ, લારીઓ વાળાને ફરી બેઠા કરવા આજીવિકાનો આર્થિક આધાર વડાપ્રધાનશ્રીએ પી.એમ. સ્વનિધિ યોજનાથી આપ્યો છે. ૧૦ હજાર રૂપિયા સુધીની લોન આવા ફેરિયાઓને કોઇ પણ પ્રકારની સિક્યુરિટી વિના આપવામાં આવી છે. ગુજરાતમાં આવા પોણા ત્રણ લાખ શેરી ફેરિયાઓને પી.એમ. સ્વનિધિ યોજનામાં લાભ આપ્યો છે તેની વિગતો તેમણે આપી હતી.

યાત્રાધામ અંબાજીના સર્વાગી વિકાસાી નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, યાત્રાધામોમાં ઇન્ફરમેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરી વડાપ્રધાનશ્રીના નવતર અભિગમ રૂપે ચેટબોટ-અંબાજીની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી દરેકને ઘરે બેઠા અંબાજી દર્શનનો લાભ મળશે.

પાલનપુર શહેર માટે મહત્વની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પાલનપુર નગરના પ્રવેશદ્વાર અને અમદાવાદ, આબુ રોડ, ડીસાને જોડતા નેશનલ હાઇવે પરના એરોમા સર્કલ પર થતી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાનું નક્કર આયોજન કર્યુ છે. એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સાડા ૬ કરોડ રૂપિયા સરકારે મંજુર કર્યા છે. આ એરોમા સર્કલને દૂર કરીને સ્મૂધ ડાયવર્ઝન, ડેડીકેટેડ લેન, સર્વિસ રોડ, ટ્રાફિક સિગ્નલની કામગીરી ટુંક જ સમયમાં હાથ ધરાશે. જેનાથી પાલનપુર શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વ અને દિશાદર્શનમાં આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી અમૃતકાળમાં પ્રવેશ્યા છી ત્યારે આ અમૃતકાળ દેશના સૌ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ વધારનારો, આત્મનિર્ભરતાનો અને નાનામાં નાના માનવી સહિત સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસીત ઉન્નત ભારતનો અમૃતકાળ બનાવવાનો છે એના માટે આપણે સૌ સાથે મળી આગળ વધીએ તેવી અપીલ તેમણે કરી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ દેશનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યા પછી નગરપાલિકાઓએ હરણફાળ વિકાસ કર્યો છે. શહેરોમાં ૨૪ કલાક વીજળી, પીવાનું પાણી, રસ્તાઓ જેવી સુંદર સગવડો આ સરકારે આપી છે.

દુનિયાના કોઇપણ ખૂણે વસતા માઇભક્તો પોતાના મોબાઇલ મારફતે ઘેરબેઠાં એટ વન ક્લિક મંદિર દર્શન કરી શકશે તથા પૂજન અર્ચન, વિધિ-વિધાનની વિગતો મેળવી શકશે તે માટે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વોટ્સઅપ ચેટ બોટ- અંબાજી ઇ-મંદિરનું લોકાર્પણ, ગબ્બર જ્યોતના લાઇવ દર્શન યુ-ટ્યૂબ ચેનલ પરથી થઇ શકે તેનો શુભારંભ, અંબાજીને આંતરરાષ્ટ્રિય સ્તરના ISO સર્ટીફિકેશન-ર૦ર૦ એનાયત, પાલનપુર નગરપાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૭૨ કરોડના કામની મંજુરીના હુકમો અને પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્ય સભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયા, ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર અને શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, સંગઠન પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલા, નગરપાલિકાના પ્રમુખશ્રી કિરણબેન રાવલ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ કાંતિભાઈ કચોરીયા, શ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ, શ્રી રેખાબેન ખાણેશા, શ્રી વસંતભાઈ ભટોળ, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવશ્રી સંજીવકુમાર, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝશ્રી રાજકુમાર બેનીવાલ, કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સુરતમાંથી ૩ કરોડ ૮૫ લાખની રદ થયેલી જૂની ચલણી નોટ સાથે એક ઝડપાયો

aapnugujarat

गुजरात में दो किसान नेताओं को पुलिस ने हिरासत में लिया

editor

રાજ્યમાં કોવિડ-૧૯નાં નવા ૧૬ કેસ નોંધાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1