બોલિવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ ફિલ્મનો ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અલબત્ત સલમાન ખાન પણ ઇચ્છે છે કે આ ફિલ્મને લઇને ચાર્મ લોકોની વચ્ચે યથાવત રહે. ચાર્મને જાળવી રાખવા માટે હવે ફિલ્મને લઇને જાહેરાત જરૂરી બની છે. આવી સ્થિતીમાં હવે જાહેરાત કરવામાં આવી છે કે સલમાન ખાનની દબંગ-૩ ફિલ્મનુ નિર્દેશન હવે કોરિયોગ્રાફરમાંથી નિર્દેશક બનેલા પ્રભુદેવા દ્વારા કરવામાં આવનાર છે. આ નિર્ણય અરબાઝ ખાન દ્વારા જાતે કરવામાં આવ્યો છે. અગાઉની બન્ને દબંગ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ચુકી છે. સલમાને વચ્ચે ગાળામાં યશરાજની ફિલ્મ ટાઇગર જિન્દા હે સાઇન કરી હતી જેથી દબંગ-૩ ફિલ્મ પર કામ આગળ વધી શક્યુ ન હતુ. હવે દબંગ-૩ ફિલ્મ પર કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. ફિલ્મના નિર્દેશનની જવાબદારી પ્રભુ દેવાને સોંપી દેવામાં આવી છે. થોડાક દિવસ પહેલા ટ્યુબલાઇટ ફિલ્મ સાથે સંબંધિત એક કાર્યક્રમમાં સલમાને કહ્યુ હતુ કે તે સૌથી પહેલા અન્ય ફિલ્મ કરતા પહેલા દબંગ-૩ માટે કામ કરનાર છે. આ ફિલ્મને આરામથી અને હળવાશના મુડમાં કરવામાં આવનાર છે. બીજી બાજુ અરબાજે કહ્યુ છે કે દબંગ-૩માં વિલંબ થઇ રહ્યો હતો કારણ કે હજુ સુધી પટકથા ફાઇનલ કરી નથી.