Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી સરનેમ પર ટિપ્પણી કરવી ભારે પડી : રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ

ગઈ કાલે ગુરુવારે સુરત કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી. સુરતની કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારે કોર્ટના નિર્ણયના 24 કલાકમાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. જે બાદ રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધી કેરળના વાયનાડના સાંસદ હતા. કોર્ટે રાહુલ ગાંધાીને મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ તેઓને જામીન પણ મળ્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીનું સંસદનુ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસ પક્ષમાં અંદરખાને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોદી સરનેમ મામલે બે વર્ષની સજા બાદ રાહુલ ગાંધીનુ સંસદ સભ્યનું પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડના લોકસભાના સાંસદ હતા. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ કે એનાથી વધારે સજા બાદ સાંસદો કે ધારાસભ્યોની સદસ્યતા ખતમ થઈ જાય છે. બીજી તરફ, કોંગ્રેસે રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ્દ થયા હબા કહ્યું કે, તેમના નેતાને સાચુ બોલવાની સજા આપવામાં આવી છે. તો રાહુલ ગાંધી પર લોકસભા સચિવાલયના નિર્ણયને ભાજપે દેશહિતમાં ગણાવ્યો હતો.

લોકસભા સચિવાયલે માનહાનિ મામલે બે વર્ષની સજા બાદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરવાની નોટિસ પણ જારી કરી છે. લોકસભા સચિવાયલે નોટિફિકેશનમાં કહ્યું છે કે, સુરતના ચીફ જ્યુડિશ્યલી મેજીસ્ટ્રેટની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ મામલે બે વર્ષની સજા ફટકારી છે. આવામાં કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા 23 માર્ચ 2023થી સમાપ્ત કરવાાં આવે છે. નોટિફિકેશનમાં બંધારણના આર્ટિકલ 102 (1) (e)ના સેક્શન 8ના પીપલ ઓફ રિપ્રેઝન્ટેશન એક્ટ, 1951 હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના નામથી જારી કરવામાં આવેલા આ નોટિફિકેશનની કોપી રાહુલ ગાંધીને પણ મોકલવામાં આવી છે. આ સિવાય રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ રાષ્ટ્રપતિ સચિવાલય, મુખ્ય ચૂંટણી અધિકારી તિરુવનંતપુરમ, કેરળ, એનડીએમસીના સચિવ સિવાય લોકસભા સચિવાયલની તમામ બ્રાંચને મોકલવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું કે, અમે આ લડાઈને કાયદાકીય અને રાજકીય તરીકે લડીશું. અમે ચૂપ બેસવાના નથી. અદાણી મામલે જેસીપીની જગ્યાએ રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. ભારતીય લોકતંત્ર ઓમ શાંતિ!

મહત્વનું છે કે, રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને એ પછી નિર્ણયના ચોવીસ કલાકમાં સંસદની સદસ્યતા રદ્દ થતાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સાંજે એક બેઠક બોલાવી છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવાના મુદ્દે આ બેઠક બોલાવવામાં આવી છે. રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ થયા બાદ કોંગ્રેસમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. 13 એપ્રિલ, 2019ના રોજ રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ આ મામલે માનહાનિનો કેસ થયો હતો. આખરે 23 માર્ચ, ગુરુવારના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી.

Related posts

જ્મ્મુ કાશ્મીરમાંત્રાસવાદીઓ વિરુદ્ધ ઓપરેશન જારી રહેશે

aapnugujarat

बंगाल में 45 फीसद तक कम हुई बेरोजगारी दर : ममता

aapnugujarat

जम्मू कश्मीर में बंद पड़े 50 मंदिर खोलने की तैयारी में है सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1