Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં કોરોનાના 600 એક્ટિવ કેસ

અમદાવાદમાં નોંધાયેલા 600 એક્ટિવ કેસમાંથી 10 ટકા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આ આંકડો છેલ્લા છ મહિનામાં નોંધાયેલા કેસના મામલે સૌથી વધારે છે, તેમ શહેરના ડોક્ટરોએ સૂચવ્યું હતું. મોટી હોસ્પિટલોમાં આશરે પાંચથી 10 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મોટાભાગના દર્દીઓની ઉંમર 55 કરતાં વધુ છે અને તેઓ ડાયાબિટિસ, હાયપરટેન્શન, કેન્સર તથા અન્ય બીમારીઓ સહિતની કોમોર્બોડિટીઝ ધરાવે છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે તેમને ત્યાં છ દર્દીઓ હતા. ‘આ દર્દીઓમાંથી પાંચ તો મહિલાઓ હતી. એક દર્દીની ઉંમર 25 વર્ષ હતી જ્યારે બાકીના દર્દીઓ 58થી 62 વર્ષની વચ્ચેના હતા. બે દર્દીઓ હાલ BiPAP પર છે જ્યારે બે ઓક્સિજન પર છે’, તેમ તેમણે ઉમેર્યું હતું.
શહેરના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં હોસ્પિટલમાં ભરતી થવાનું કારણ કોવિડ હોતું નથી. ‘જ્યારે દર્દીઓઓ પહેલાથી કોઈ બીમારીથી પીડિત હોય ત્યારે કોવિડનો ચેપ તેમને વધુ સારવાર લેવા તરફ પ્રેરિત કરે છે. કોઈ દર્દીની ગંભીર સ્થિતિ થઈ હોય તેવો કેસ જોયો નથી’, તેમ તેમણે કહ્યું હતું.

શહેરના ઈન્ટર્નલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડો. મનોજ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે, રસીકરણ ઈન્ફેક્શનને ગંભીર થતાં અને ફેફસાને સંક્રમિત થતાં અટકાવે છે. ‘કોવિડના દર્દીઓ ફરીથી સામે આવવા લાગ્યા છે, પરંતુ આપણે ડાયગ્નોસિસ અને સારવારના મામલે પહેલી બે લહેરની સરખામણીમાં વધારે અને સારી રીતે તૈયાર છીએ’.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના (MoHFW) ડેટા અનુસાર, ગુરુવારે 9 ટકા ટેસ્ટ પોઝિટિવિટી રેટ (TPR) નોંધાયો હતો, જે છ મહિનામાં સૌથી વધુ છે. નવા 241 કેસમાંથી શહેરમાં 79 કેસ નોંધાયા હતા. જ્યારે મોરબીમાં 23, રાજકોટમાં 22, સુરત શહેરમાં 21, વડોદરામાં 11 કેસ નોંધાયા હતા. સતત ત્રણ દિવસ સુધી કોવિડ દર્દીઓના મોત બાદ શુક્રવારે આવો કોઈ કેસ સામે આવ્યો નહોતો.

એક્ટિવ કેસનો આંકડો 1,291 સુધી પહોંચી ગયો હતો, જેમાં છ વેન્ટિલેટર પર હતા. એક્ટિવ કેસના મામલે ગુજરાત મહારાષ્ટ્ર અને કેરળ બાદ ત્રીજા નંબર પર હતું. એક્ટિવ કેસ ધરાવતા મુખ્ય શહેરોમાં અમદાવાદમાં 646, રાજકોટમાં 142, સુરતમાં 119 અને મહેસાણા તેમજ મોરબીમાં 61 કેસનો સમાવેશ થાય છે.

Related posts

પાવાગઢનું મહાકાળી મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય

editor

નર્મદા જિલ્લાના ભદામ ખાતેની વલ્લભ વિદ્યામંદિર હાઇસ્કુલ ખાતેથી “કારકિર્દી માર્ગદર્શન સપ્તાહ” નો થયેલો શુભારંભ

aapnugujarat

गुजरात चुनाव : नो-ड्युज शपथ पत्र अनिवार्य होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1