રાજ્યના ૨ લાખ શિક્ષકોના વ્યાપક હિતમાં શિક્ષણ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રાજ્યના વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો,ઉચ્ચ પ્રાથમિક શિક્ષક અને મુખ્યશિક્ષકોની બદલીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરતી રાજ્ય સરકાર આ નિર્ણયથી શિક્ષકોના ઘરમાં દિવાળીનો માહોલ સર્જાશે-શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી શિક્ષકોને હવે ૪૦% જિલ્લાફેર ના બદલે ૧૦૦% જિલ્લા ફેરબદલીનો લાભ મળશે *-એક જ જગ્યાએ ૧૦ વર્ષ નોકરી કરવાની શરત દૂર કરી પ વર્ષ કરવામાં આવી અરસપરસ બદલીની છેલ્લી તા.૨૬ માર્ચ હતી તે વધારીને હવે આવતી તા.૩ જી મે સુધીમાં તારીખ સુધી અરજી કરી શકાશે શૈક્ષણિક મહાસંઘોની રજૂઆતો ધ્યાનમાં લઇ તેમના પરામર્શ કરી ઠરાવમાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યાં બદલીના નિયમો ઠરાવ સ્વરૂપે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશા-નિર્દેશાનુસાર બે લાખથી વધુ શિક્ષક પરિવારને સ્પર્શતા નિર્ણયો લેવાયાં અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે જિલ્લાફેર, અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવાં જરૂરી હતાં તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપ