ડભોઇ સહિત તાલુકાભરમાં ખેડૂતોને સિંચાઇ માટે નર્મદા કેનાલો થકી પાણી પહોચાડવામાં આવે છે જ્યારે નગરની અનેકો કેનાલો બિસ્માર તેમજ ઝાડી ઝાખડાનો અડ્ડો બની ગઈ છે.ત્યારે નર્મદા નીગમ તંત્ર કેનાલ સફાઈ કે રીપેર કરવવામાં અસમર્થ છે. રોડ ઉપર થી દેખાતી મુખ્ય કેનાલોને સફાઈ કરાવી અંતર્યાળ ગામોમાં થી પસાર થતી એસ્ક સબ ધારીયા કેનાલોમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે .
તેમજ કેટલીક જગ્યાએ કેનાલો તૂટી જતાં આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે જેને લઈ પાકને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે આવી જ એક કેનાલ પોર બ્રાન્ચ સાથોદ માઠી એક્સ માઇનોર ધારીયા કેનાલ તૂટી જતાં આસપાસના સંખ્યાબંધ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે ખેડૂતો દ્વારા વારમવાર રજૂઆત કરવા છતા પણ તંત્ર કોઈ કાર્યવાહી કરતું ના હોવાના આક્ષેપો ખેડૂતો લગાવી રહ્યા છે.