31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે ત્રણ દિવસ કેવડીયાની મુલાકાતે આવવાના છે.જેથી કરીને ૨૮ ઓક્ટોબર થી ૧નવેમ્બર સુધી કેવડીયા પ્રવાસીઓ માટે બંધ રાખવાનો સ્થાનિક વહીવટી તંત્રે નિર્ણય કર્યો છે.જેને કારણે ઓનલાઈન ટીકીટ બુકિંગ પણ બંધ કરી દેવામાં આવી છે.વડાપ્રધાનશ્રી ૩૦મી ઓક્ટોબરે કેવડિયા પહોચશે.સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરવામાં આવશે.તેમજ રાત્રી રોકાણ બાદ ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિન નિમિતે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિવિધ પ્રકલ્પો અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો કરશે.
આગળની પોસ્ટ