ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
મુળી તાલુકાનાં વગડીયાથી નળખંભા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર અને બાઈક સામસામે ટકરાતાં એક યુવાન નું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું અને એક યુવાનને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા જેમાં થાનગઢ તાલુકા નાં વેલાળા ગામનાં યુવાનો બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર હડફેટે લેતાં વેલાળા નાં ચાંપરાજ ભાઈ દાનભાઈ ખાચર ઉ.વ.૩૦ નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું અને એક યુવાન ને ગંભીર ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં વધું તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે ડમ્પર ચાલક નાસી છૂટયા હતા