ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
લખતર શહેરમાં સૌ વર્ષથી યોજાતી ભવાઈ શહેરના કાયદેસરની બારી પાસે યોજાય છે.
નવરાત્રી દરમિયાન ભવાઈ ભવાઈ ને જાળવી રાખવા મંડળના સભ્યોનો અથાર્ગ પ્રયાસો
યુવાનો દ્વારા નવરાત્રિ દરમિયાન વિવિધ માતાજીની વેશભૂષા ધારણ કરીને રમે છે ભવાઈ ભજવવામાં આવે છે.
લખતર શહેરના કાદેસરની બારી પાસે સો વર્ષ પહેલા નવરાત્રી દરમિયાન ભવાઈ કરવામાં આવે છે ભવાઈના સ્વરૂપની વાત કરીએ તો કલા ભજવણી તેનું સંગીત તેની સાખીઓ, છંદો, દુહા આ બધી ભવાઈની બાળતોઈ છે જેની કોઈ તાલીમ લીધા વગર ભવાઈ ભજવામાં આવે છે.
ત્યાંરે લખતર શહેરમાં આજથી સૌ વર્ષ પહેલા વિસ્તારના ભુવાજી ધુડાભાઈ, જેરામભાઈ, લક્ષ્મણભાઈ, વાલજીભાઇ, રામસંગભાઈ, દ્વારા ચામુંડા ભવાઈ મિત્ર મંડળ બનાવીને શહેરમાં નવરાત્રી દરમ્યાન માતાજીની વેષભુષા ધારણ કરી નવરાત્રી દરમ્યાન માતાજીની આરાધના કરી ભવાઈની શરૂઆત કરવામાં આવી હતી.જે આજે તેઓના સંતાનો દ્વારા પરંપરાગત રીતે ભવાઈ ભજવીને પરંપરાને જાળવી રાખી રહયા છે.
જેમાં નવરાત્રી દરમ્યાન વિવિધ માતાજીના પાત્રો ભજી ભવાઈની ઉજવણી કરવામાં આવે છે.