સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગરમાં નવરાત્રી નજીક આવતા બજારમાં ભીડ જોવા મળી હતી લોકો નવરાત્રી નજીક આવતા માતાજી ની આરાધના માટે હાર,ગૂગલ તોરણ કંકુ ,તેમજ માતાજીના શણગાર માટે અવનવી વિવિધ વસ્તુ લેવા માટે બજાર માં ભીડ જોવા મળી હતી.બજાર માં વિવિધ વસ્તુ ના ભાવ પણ આસમાને પોચી ગયા હતા તો પણ લોકો માં નવરાત્રી આવતા અનેરો ઉત્સાહ બજાર માં જોવા મળ્યો હતો.
નવ દુર્ગા નાં નવ સ્વરૂપો ની આરાધના એટલે નવરાત્રિ.
નવરાત્રી માં નવદુર્ગા જગદમ્બા આદ્યશક્તિ ની ઉપાસના નું પર્વ આરાધના નું પર્વ છે નવરાત્રી ના નવ દિવસ માં માતાજી ના વિવિધ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું વિધાન શાસ્ત્રોમાં સુંદર રીતે આપેલ છે. સાધક પોતાના ઘરમાં ઘટસ્થાપન કરે છે અને નવ દિવસ સાધક આદ્યશક્તિની આરાધના સાધના પુર્ણ શ્રધ્ધા થી કરે છે.આ આદ્યશક્તિ નવદુર્ગા ના પૂજનથી સંસાર ના સમસ્ત, દુ:ખો, કષ્ટો, રોગ, શોક, નિર્ધનતા વગેરે દૂર થાય છે.