સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા
દેશ અને દુનિયામાં ગુજરાતની સંસ્કૃતિ સાથે અહિંના ઉત્સવો પણ પ્રખ્યાત છે તેવામાં રાજ્યના ગરબાનો ટ્રેડ હવે ધીરેધીરે દુનિયાના અનેક દેશોમાં પણ શરુ થયા છે ત્યારે હાલના આધુનિક યુગમાં આ ગરબા ઉત્સવ માત્ર રાશ રમવા માટે જ પ્રચલીત છે પરંતુ પ્રોરાણીક પરંપરા હજુપણ ધ્રાંગધ્રા શહેરમા યથાવત છે. નવરાત્રીમાં ખાસ કરીને ગરબાની વિશેષતા છે જેમા નવરાત્રીના નવ દિવસ સુધી ગરબો પોતાના ઘેર સ્થાપન કરી આ ગરબામાં માતાજીના દિવા પ્રગટાવી પુજા અચઁના કરાય છે જોકે આ પરંપરા મોટા શહેરોમાં લુપ્ત થતી નજરે પડે છે પરંતુ ધ્રાંગધ્રા જેવા નાના શહેરોમાં હજુપણ ક્યાંકને ક્યાક આવી પ્રથા અકબંધ છે.