વિરમગામ શહેરના બસસ્ટેન્ડ વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા જાહેર શૌચાલયો તોડી પાડવામાં આવતા વિરમગામ બસસ્ટેન્ડ વેપારી એસોસિએશન ના ૧૫૦ થી વઘુ વેપારીઓએ બસસ્ટેન્ડ પાસે આવેલા, સરદાર શોપિંગ, બેચરાજી રોડના વેપારીઓ, સુમેરૂ કોમ્પલેક્ષ, સહિતના વેપાથીઓએ ૧૫૦થી વઘુ વેપારીઓએ પોતાના ઘંઘા-રોજગાર બંઘ પાળી તંત્ર સામે વિરોઘ નોંઘાવ્યો હતો અને જ્યાં સુધી તંત્ર દ્વારા આ અસામાજીક તત્વો અને દબાણકર્તા સામે કાર્યવાહીની વેપારીઓની ઉગ્ર માંગ કરી હતી અને વેપારીઓએ વિરમગામ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસરને લેખિત અને મૌખિકમાં રજુઆત કરી હતી. અઘિકારીઓ દ્વારા શૌચાલય બનાવવા માટે કાર્યવાહીના આદેશ આપ્યા હતા.
રિપોર્ટર- અમિત હળવદીયા, વિરમગામ