હિતેશ ગજ્જર, ગાંધીનગર
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ અત્યારથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીના ભાગરૂપે રાજ્યનાં પાટનગર ગાંધીનગર ખાતે મોરચાના પ્રભારી શ્રી ઝવેરભાઈ ઠકરાર અને મોરચા ના અધ્યક્ષ શ્રી ડો પ્રદ્યુમન વાજા ની અધ્યક્ષતામાં આગામી યોજાનાર પ્રદેશ કારોબારી અને મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીના પ્રવાસ કાર્યક્રમોની વ્યવસ્થા માટે બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ હોદેદારો સહિત કર્ણાવતી મહાનગર, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર મહાનગર અને ગાંધીનગર જિલ્લામાં રહેતા અનુ.જાતિ મોરચાના પ્રદેશ હોદ્દેદારો,અનુસૂચિત જાતિ મોરચાની ટીમ અને ચાર જિલ્લા/મહાનગરોમાં રહેતા અનુ.જાતિ મોરચામાં પ્રદેશ કારોબારી અને પ્રદેશ આમંત્રિત સભ્યો, જિલ્લા પ્રભારીઓ તેમજ પ્રદેશ આઈ.ટી., સોશ્યલ મીડિયા અને મીડિયા સેલના પ્રભારીઓ, સહપ્રભારીઓ અને ઝોન પ્રભારીઓ હાજર રહ્યાં હતાં.