ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથવિધિ યોજાવાની હતી. પરંતુ, હવે નવા મંત્રીમંડળની શપથવિધી આવતીકાલે યોજાશે તેવી માહિતી મળી રહી છે. કારણ કે હાલમાં શપથવિધીના સ્થળ પરથી પોસ્ટરો હટાવી લેવામાં આવ્યા છે. અને, નવા મંત્રીમંડળને લઇને હજુ અનેક ગડમથલો ચાલી રહી છે. આ યાદીમાં નવા ચહેરોઓનો જ સમાવેશ છે. અને, અનેક જુના નામ કપાવવાની સંભાવના છે. જેથી હાલ પક્ષમાં નારાજગીનો દૌર પણ દેખાઇ રહ્યો છે.નીતિન પટેલ અને વિજય રૂપાણી તેમજ ભુપેન્દ્રસિંહ ચુડાસમા આ ત્રણેય નેતા નારાજગીમાં છે.ત્યારે જોવાનું રહ્યું કે આ નવા મંડળમાં કોનો કોનો સમાવેશ થશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ