ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર ખાતે આગામી તા. ૧૮ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ને શનિવારના રોજ ૧૧-૩૦ કલાકે જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે યોજાનાર છે. જે અન્વયે પ્રથમ તબક્કામાં સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ સાથે અને ત્યારબાદ અધિકારીશ્રીઓ સાથેની બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.