Aapnu Gujarat
ગુજરાત

“આપ”ના મહેશભાઈ સવાણી ભાવનગરની મુલાકાતે

સુરેશ ત્રિવેદી, ભાવનગર

છેલ્લા 2 મહિના થી ચાલતી આમ આદમી પાર્ટી ની જન સંવેદના યાત્રા એ ગુજરાત ના રાજકારણ ને હચમચાવી નાખ્યું છે, જેના અનુસંધાને તારીખ 29 અને 30 ઓગસ્ટ ના રોજ ગુજરાત ના ભામાશા અને હજારો દીકરીઓ ના પાલક પિતા મહેશભાઈ સવાણી ભાવનગર ના પ્રવાસે આવેલા, આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ ના અનેક આગેવાનો સાથે મહેશભાઈ એ બંધ બારણે બેઠક યોજી, ત્યાર બાદ સોડવદરા અને નારી ખાતે જન સભા યોજી આમ આદમી પાર્ટી ની વિચારધારા અને અરવિંદ કેજરીવાલ જી ની સરકાર દ્વારા દિલ્લી માં કરેલા કામો ની વાતો લોકો સમક્ષ કરવામાં આવી, અને ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 28 વર્ષ ના કાળા શાસન દરમિયાન લોકોએ જે હાલાકી ભોગવી છે તેને લઈ આકરા પ્રહાર કર્યા, આ સાથે લોકો ધર્મ જાતિ ના ભેદભાવો ભૂલી માનવતા ના ધર્મ માં વિશ્વાસ રાખે એવી અપીલ કરવામાં આવી, ભાજપ ના ગઢ કહેવાતા બંને ગામોમાં લોકોની ઉમટેલી ભીડ ભાજપ માટે ચોક્કસ ચિંતા નો વિષય છે, અને આપ ના નેતાઓ માં એક ઊર્જા પૂરી પાડશે, આ કાર્યક્ર્મ નું આયોજન આમ આદમી પાર્ટી યુવા મોર્ચા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં યુવા પ્રમુખ દર્પણ ડાંખરા અને એમની ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્ર્મ ને ખૂબ સફળ બનાવ્યો હતો, આ કાર્યકમ માં ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઇ દોમડીયા, શહેર પ્રમુખ મહિપાલ સિંહ ઝાલા, જિલ્લા મહિલા પ્રમુખ જલ્પાબેન મકવાણા યુવા નેતા ધર્મરાજ કોટિલાં, ભગીરથ ભાઈ બેરડીયા, યશ ધોળકિયા, સાથે સમગ્ર આમ આદમી પાર્ટી ના આગેવાનો હાજર રહ્યા હતા

Related posts

Road repair work in state to began from Navratri : CM Rupani

aapnugujarat

प्लेन हाईजैक करने की धमकीभरे पत्र मामले में सल्ला को रिमांड पर लेने की मांग कोर्टने अस्वीकार की

aapnugujarat

भद्र किले पर ध्वज वंदन कराया जाएगा, अतिक्रमण हटाने सूचना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1